Published by : Rana Kajal
ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની મેચ એડિલેઇડમાં આવેલા ઓવલ મેદાનમાં રમાશે. ભારતીય સમય પ્રમાણે બપોરે 1.30 વાગ્યાથી મેચ શરુ થશે. T20 World Cup 2022 માં ભારતીય ટીમની શરુઆત શાનદાર રહી હતી. ભારતે પહેલા પાકિસ્તાન અને બાદમાં નેધરલેન્ડને હરાવ્યુ હતુ. આમ શરુઆતની બંને મેચોને શાનદાર રીતે રોમાંચક પળોમાં જીતી લીધી હતી. આ દરમિયાન ત્રીજી મેચમાં પણ ઓછા સ્કોરને બચાવતા દક્ષિણ આફ્રિકા સામે અંતિમ ઓવરમાં હાર મેળવી હતી. આજે બુધવારે ભારતીય ટીમ સેમિફાઈનલમાં સ્થાન મેળવવા માટે બાંગ્લાદેશની સામે વિજય મેળવવાના ઈરાદાથી મેદાને ઉતરશે. એડિલેઇડમાં આજે વરસાદી માહોલ છે અને હજુ બુધવારે પણ વરસાદનુ સંકટ સર્જાયેલુ છે. આમ વરસાદનો ખલેલ રમતને બગાડશે તો ભારત માટે મુશ્કેલી સર્જાઈ શકે છે. જો મેચ ન રમાય તો બંને ટીમને 1-1 પોઈન્ટ મળે ત્યારબાદ ભારતે આગામી એક મેચ ફરજિયાત જીતવી પડે પરતું જો પાકિસ્તાન અફઘાનિસ્તાનને હરાવે તો ભારતે રન રેટ ઉપર પણ ધ્યાન કેન્દ્રિત કરવું પડશે.