Published by : Rana Kajal
ભારત અને પાકિસ્તાન વચ્ચે આજે મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પર ટી-20 વર્લ્ડકપનો એશિયાના ચાહકો માટે મેગા મુકાબલો જામશે. ભારતીય સમય પ્રમાણે બપોરે 1.30 થી રમાનાર આ મેચ માટે બંને ટીમ જીતવા માટે સમાન તક ધરાવે છે.
જોકે પાકિસ્તાન કેપ્ટન બાબર આઝમ, વિકેટકિપર બેટ્સમેન રિઝવાન અને ફાસ્ટ બોલર શાહીન આફ્રિદીના ફોર્મ પર મહત્તમ આધાર રાખે છે. જ્યારે ભારતની ટીમમાં સુર્યકુમાર યાદવ, રાહુલ અને હાર્દિક પંડયાની આક્રમક બેટિંગ નિર્ણાયક બનશે. બુમરાહ, જાડેજાની પણ ખોટ સાલશે. પંત કે કાર્તિક કોને રમાડવા પ્રશ્ન છે. સ્પિનરની પસંદગી પણ મુંઝવે છે.
ભારત-પાકિસ્તાન મેચના કારણે આ મેચમાં ખેલાડીઓ પર દબાણ ખૂબ વધારે છે. ઘણા એવા ખેલાડીઓ પણ છે જે હંમેશા એકબીજા સામે સારો દેખાવ કરવાનો પ્રયાસ કરે છે. આ મેચમાં ખેલાડીઓ વચ્ચે પરસ્પર યુદ્ધ જોવા મળશે.