Published by : Rana Kajal
TMC સુપ્રીમો મમતા બેનરજીએ જણાવ્યું હતું કે રાષ્ટ્રીય પક્ષનો દરજ્જો બચાવવા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને ફોન કર્યો હોવાનું જો પુરવાર થાય તો રાજીનામું આપી દેવાની ચિમકી મમતા બેનરજીએ આપી હતી. તાજેતરમાં TMC એ રાષ્ટ્રીય પક્ષનો દરજ્જો ગુમાવ્યો હતો. જેથી એવી અટકળો ફેલાઇ હતી કે પક્ષનો રાષ્ટ્રીય દરજ્જો જાળવવા માટે મમતા બેનરજીએ પ્રયાસો કર્યા હતા. એટલુંં જ નહીં પરંતુ એવી વાતો પણ ફેલાઇ હતી કે પક્ષનો રાષ્ટ્રીય દરજ્જો બચાવવા મમતા બેનરજીએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને ચાર ફોન કર્યાં હતા. આ અફવાએ જોર પકડતા મમતા બેનરજીએ જવાબ આપતા જણાવ્યું હતું કે જો અમિત શાહને ફોન કર્યાં હોવાની વાત સાબિત થશે તો મમતા રાજીનામું આપી દેશે. હાલ TMCનું રાષ્ટ્રીય પક્ષનો દરજ્જો ન હોવા છતાં પક્ષનું નામ ઓલ ઇન્ડિયા તૃણમૂલ કોંગ્રેસ જ રહેશે એમ જાણવા મળેલ છે