Published by : Rana Kajal
ભારતીય ક્રિકેટ ટીમે અંડર 19 મહિલા T20 વર્લ્ડ કપ 2023ની ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. ટીમ ઈન્ડિયાએ સેમીફાઈનલ મેચમાં ન્યૂઝીલેન્ડને 8 વિકેટે હરાવ્યું હતું. પ્રથમ બેટિંગ કરતા ન્યૂઝીલેન્ડની અંડર-19 મહિલા ટીમે 108 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જવાબમાં ટીમ ઈન્ડિયાએ 14.2 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને લક્ષ્ય હાંસલ કરી લીધું હતું. ભારત તરફથી શ્વેતા સેહરવતે તોફાની બેટિંગ કરી હતી. તેણે 10 ચોગ્ગાની મદદથી અણનમ 61 રન બનાવ્યા હતા.
ભારતીય ટીમ ICC અંડર-19 મહિલા T20 વર્લ્ડ કપના ગ્રુપ Dમાં છે. ટીમ ઈન્ડિયા પોઈન્ટ ટેબલમાં ટોપ પર છે. સેમિફાઇનલમાં તેનો સામનો ન્યુઝીલેન્ડ સામે થયો હતો. ટીમ ઈન્ડિયાએ સેમીફાઈનલમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું અને 8 વિકેટે જીત મેળવી હતી. હવે ભારતીય ટીમ 29 જાન્યુઆરીએ ફાઇનલ મેચ રમશે.