Sunday, June 8, 2025
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeNews UpdateNation Updateઅભિનેત્રી તુનીશાનુ અપમૃત્યુનુ રહસ્ય અકબંધ…

અભિનેત્રી તુનીશાનુ અપમૃત્યુનુ રહસ્ય અકબંધ…

Published by : Anu Shukla

પ્રેમમાં મળેલા વિશ્વાસઘાતથી તુનિષા પરેશાન હતી…

હાલમાંજ 20 વર્ષની તુનિષાએ શનિવારે આત્મહત્યા કરી લીધી હતી. તે એક મ્યુઝિક વીડિયો શૂટ કરવાની હતી. ત્યારે સેટ પર લોકોએ તેના મૃતદેહને ફાંસો લગાવેલી હાલતમાં જોયો. આ બનાવમાં તુનિષાના કો-સ્ટાર શીજાન મોહમ્મદ ખાનની ધરપકડ કરવામાં આવી છે.

જૉકે મુંબઈના એસીપી ચંદ્રકાંત જાધવના જણાવ્યા અનુસાર તુનિષા અને શીજાન વચ્ચે અફેર હતું. પરંતુ બંનેનું 15 દિવસ પહેલાં બ્રેકઅપ થયું હતું. તુનિષાની માતા વિનિતા શર્મા સાથે વાત કરવાનો પોલિસે પ્રયાસ કર્યો, પરંતુ તે અત્યારે વાત કરવાની સ્થિતિમાં નથી. જ્યારે તેના કાકા પવને જણાવ્યુ કે તુનિષા અને શીજાન વચ્ચે ઘણા સમયથી સમસ્યા ચાલી રહી હતી. પરંતુ આ વિશે વધુ માહિતી નથી. શીજાને વિશ્વાસઘાત કર્યો એટલું જણાવ્યું, બંને હજી લગ્ન કરવાના નહોતા. પવને જણાવ્યું કે તેને ખબર પડી કે શીજાન અન્ય યુવતી સાથે સંબંધ બાંધી રહ્યો છે. તુનિષાને આ વાતની ખબર પડી. જોકે, શીજાન અને તુનિષાનો અત્યારે લગ્ન કરવાનો કોઈ ઈરાદો નહોતો. કાકા પવને એમ પણ જણાવ્યું કે, ‘તુનિષાએ મને થોડા દિવસ પહેલાં ફોન કર્યો હતો. તે ખૂબ જ પરેશાન હતી. મેં પૂછ્યું શું થયું? પછી તેણે કહ્યું કે મારી સાથે ખોટું થયું છે. મારી સાથે વિશ્વાસઘાત થયો છે. 20 વર્ષની તુનિષાએ શનિવારે આત્મહત્યા કરી લીધી હતી. તે એક મ્યુઝિક વીડિયો શૂટ કરવાની હતી. તેના સેટ પર લોકોએ તેના મૃતદેહને ફાંસો લગાવેલી હાલતમાં જોયો. પોલીસે તુનિષાના મૃત્યુને આત્મહત્યા ગણાવી હોવાના સવાલ પર કાકા પવને કહ્યું કે, અમે જે એફઆઈઆર નોંધાવી છે તેના આધારે તપાસ યોગ્ય રીતે થવી જોઈએ. જોકે પોલીસની અત્યાર સુધીની તપાસથી તે સંતુષ્ટ છે.
જૉકે મુંબઈ પોલીસ આ મામલાની હત્યા અને આત્મહત્યા બંને એંગલથી તપાસ કરી રહી છે. સત્ય શું છે તે તપાસ બાદ જ બહાર આવશે. તેમણે એમ પણ કહ્યું કે જો મુંબઈ પોલીસ આ મામલે યોગ્ય તપાસ નહીં કરે તો અમે ઈચ્છીએ છીએ કે તેને સીબીઆઈને સોંપવામાં આવે. પોલીસ એફઆઈઆર મુજબ, 15 દિવસ પહેલાં શીજાનનું તુનિષા સાથે બ્રેકઅપ થઈ ગયું હતું. આ કારણે તુનિષા તણાવમાં હતી. જોકે, શીજાનના વકીલ શરદ રાયનું કહેવું છે કે તમામ આરોપો ખોટા છે. કોર્ટ તેનું કામ કરી રહી છે અને અમે અમારું કામ કરીશું. શીજાનની ધરપકડ માત્ર શંકાના આધારે કરવામાં આવી છે. પોલીસ પાસે કોઈ નક્કર પુરાવા નથી. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ગૂંગળામણને મૃત્યુનું કારણ જણાવવામાં આવ્યું હતું.
તુનિષાનું પોસ્ટમોર્ટમ રવિવારે સવારે મુંબઈની જેજે હોસ્પિટલમાં કરવામાં આવ્યું હતું. પ્રાથમિક અહેવાલમાં મૃત્યુનું કારણ શ્વાસ રૂંધાવાથી દર્શાવવામાં આવ્યું છે. ACP ચંદ્રકાંત જાધવે કહ્યું કે પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ખબર પડી કે તેમનું મૃત્યુ આત્મહત્યા છે. રવિવારે એક પ્રેસ કોન્ફરન્સમાં તેમણે કહ્યું કે પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે તેણે બ્રેકઅપ બાદ આ પગલું ભર્યું છે.

જાધવે કહ્યું કે શું આ આત્મહત્યાનું કારણ છે કે અન્ય કોઈ કારણ છે તે તપાસ બાદ જ ખબર પડશે. તુનિષાની માતાએ ફરિયાદ નોંધાવી હતી. તેની ફરિયાદના આધારે શીજાનની ધરપકડ કરવામાં આવી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!