Published by : Rana Kajal
ભ્રષ્ટાચાર સામેની જંગમાં ઇ. ડી. વિભાગ મહત્વની ભુમિકા ભજવી રહ્યું છે. તેથીજ છેલ્લા 4 વર્ષમા ઇ.ડી.દ્વારા દાખલ કરવામા આવેલ કેસોની સંખ્યામા 500 ટકાનો વધારો જણાઈ રહયો છે. સાથે જ 9વર્ષમાં EDએ દ્વારા ઍક લાખ કરોડની સંપત્તિ પણ જપ્ત કરવામાં આવી છે. જૉકે વિપક્ષ દ્વારા એવા આક્ષેપ કરવામા આવી રહ્યા છે કે સત્તાધારી ભાજપ વિપક્ષના લોકોને ED દ્વારા ટારગેટ કરી રહ્યુ છે . દેશનાં નાણાં મંત્રાલયના રીપોર્ટ મુજબ વર્ષ 2004થી 2014સુઘી એટલેકે યુપીએના શાસન દરમિયાન માત્ર 112દરોડા ની કાર્યવાહી કરવામાં આવી હતી. જ્યારે વર્ષ 2014થી 2022 એટલેકે ભાજપના શાસન દરમિયાન ઇ. ડી. ના દરોડાની સંખ્યા 3 હજાર કરતા વધુ થઈ ગઇ હતી . તે સાથેજ વર્ષ 2002મા મની લોન્ડરીંગ કાયદો લાગુ કરવામાં આવ્યો હતો. માર્ચ 2022 સુધીમાં 5422 જેટલા કેસો મની લોન્ડરીંગ અંગે દાખલ થઈ ચુક્યા છે જે અંગે 400કરતા વધુની ધરપકડ કરવામાં આવી હતી જે પૈકીના 25 લોકો દોષી ઠેરવવામાં આવ્યા છે.