Published By:-Bhavika Sasiya
- ઈન્કમ ટેક્સમાં 15 હજાર કરોડની કરચોરી પકડાઈ…..
- ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટે ઇન્સ્યોરન્સ કંપનીઓ સામે ટેક્સ ચોરીના આરોપોની સંપૂર્ણ તપાસ પૂરી કરી છે. તપાસમાં વિભાગને વીમા કંપનીઓ દ્વારા કમિશનની ચૂકવણીમાં અનિયમિતતા મળી છે અને હજારો કરોડની કરચોરી પણ મળી આવી છે
ઈન્કમ ટેક્સ અધિકારીઓને ટાંકીને ETના એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે તપાસમાં 15 હજાર કરોડ રૂપિયાથી વધુની ચૂકવણી છુપાવવાની માહિતી મળી છે. જેની ઉપર લગભગ રૂ. 4,500 કરોડની ટેક્સ જવાબદારી થઈ શકે છે. તપાસમાં વીમા કંપનીઓ દ્વારા કરચોરી માટે અપનાવવામાં આવતી પદ્ધતિઓ વિશે પણ જાણવા મળ્યું છે.
તપાસમાં 25 થી વધુ વીમા કંપનીઓ અને 250 થી વધુ વ્યવસાયોને આવરી લેવામાં આવ્યા હતા. આવકવેરા વિભાગની ઇન્વેસ્ટિગેશન વિંગની તપાસમાં બહાર આવ્યું છે કે આ વ્યવસાયોનો ઉપયોગ એજન્ટોને કમિશન આપવા માટે કરવામાં આવતો હતો. તપાસમાં મળેલી માહિતી આકારણી અધિકારી સુધી પહોંચાડવામાં આવી છે.
કરચોરીના આ કેસમાં સંડોવાયેલી કંપનીઓ, કુલ રકમ અને કરચોરીની રીત વિશે આકારણી અધિકારીને વિગતવાર જણાવવામાં આવ્યું છે. આકારણી અધિકારી હવે સમગ્ર મામલાની તપાસ કર્યા બાદ સંબંધિત કંપનીઓને ટેક્સ ડિમાન્ડ જારી કરશે. ટેક્સની માંગમાં વ્યાજ અને દંડનો પણ સમાવેશ થશે.જૉકે ડીજીજીઆઈએ પણ તપાસ કરી હતી
આવકવેરા વિભાગ ઉપરાંત GST વિજિલન્સ ડિરેક્ટોરેટ જનરલ એટલે કે DGGI એ પણ સંબંધિત વીમા કંપનીઓની તપાસ કરી છે. આવકવેરા વિભાગ વીમા નિયમનકાર IRDA ની જોગવાઈઓનું ઉલ્લંઘન કરીને કથિત કરચોરીની તપાસ કરી રહ્યું હતું, જ્યારે DGGI બોગસ ઇનપુટ ટેક્સ ક્રેડિટના દાવાઓની તપાસ કરી રહ્યું હતું.
તે સાથે DGGI એ માર્ચથી અત્યાર સુધીમાં 30 કંપનીઓને શોકોઝ નોટિસ જારી કરી છે અને તેમને રૂ. 4,000 કરોડથી વધુનો GST ચૂકવવા જણાવ્યું છે. કંપનીઓએ અત્યાર સુધીમાં લગભગ 700 કરોડ રૂપિયા ચૂકવ્યા છે. તે જ સમયે, કંપનીઓ DGGIની કાર્યવાહી સામે સક્ષમ અધિકારી સમક્ષ અપીલ કરવાની પણ તૈયારી કરી રહી છે.