ગુજરાતીઓના તહેવાર ખાણીપીણી વગર અધૂરા ગણાય છે ઉત્તરાયણનો તહેવાર એટલે હર્ષઉલ્લાસનો તહેવાર.. ઉત્તરાયણ એટલે પતંગ, દોરી, તલ સાંકળી, જલેબી અને ઊંધિયું. જો આ દિવસે ઊંધિયું અને જલેબી ન ખાધા તો તમારી ઉત્તરાયણ ફિક્કી બની જશે.મકરસંક્રતિના દિવસે ગુજરાતમાં ઊંધિયું જલેબીનો આસ્વાદ માણવાનુ લોકો ચુક્તા નથી.આ દિવસે બહારથી અથવા ઘરે ઊંધિયું બનાવવાનું અને આરોગવાનું નક્કી જ હોય છે.ઊંધિયું જલેબી અને ઉત્તરાયણ એક બીજાના પર્યાય છે.ઊંધિયું ખાવા પાછળ એક વૈજ્ઞાનિક કારણ પણ છે. શિયાળાની ઋતુમાં બધા જ જાતના લીલા શાકભાજી મળી રહે છે જેનાથી સ્વથ્ય સારું રહે છે.અનેક શાકનો ભંડાર ગણાતું એવું આ ઊંધિયું અને તેમાં ખાસ મસાલા એક અલગ જ લિજ્જત સાથે તંદુરસ્તી આપે છે.
ભરૂચમાં વહેલી સવારથી જ ઉંધિયાની દૂકાનો પર લોકોની ભીડ ઉમટી હતી.અને લાખો રૂપિયાનું ઊંધિયું જલેબી લોકોએ આજે આરોગ્યુ હતુ.કેટલાક લોકોએ તો બપોરે ધાબા ઉપર જ બપોરના ભાણાની જમવાટ કરી હતી.