અમદાવાદ ખાતે એક નાની ધટનાના પરિણામે હત્યાનો બનાવ બન્યો હતો. જેની કબૂલાત કરતા આરોપીએ જણાવ્યુ કે.. સાહેબ, મેં પાણી માંગ્યું, તેણે ગાળ આપી એટલે મારી નાંખ્યો. આ શબ્દો વસ્ત્રાપુર લેક પર ૩૦ વર્ષીય યુવકની ક્રૂરતાપૂર્વક પાવડાના ફટકા મારી હત્યા કરનાર આરોપીના છે. પોલીસ પણ આરોપીનું કારણ સાંભળી ચોંકી ગઈ હતી. બે દીવસ અગાઉ વસ્ત્રાપુર લેક પર થયેલી હત્યાના બનાવ અંગે ઝોન-૧ એલસીબી સ્કોડે બાતમી આધારે શકમંદની પૂછપરછ કરતા હત્યાનો ભેદ ખુલ્યો હતો.ઝોન-૧ એલસીબી સ્કોડે બાતમી આધારે શકમંદની પૂછપરછ કરતા હત્યાનો ભેદ ખુલ્યોહતો ઝોન-૧ એલસીબી સ્કોડે મૂળ નેપાળના શિરાહા જીલ્લાના નવરાજપુર ગામના વતની અને હાલ વસ્ત્રાપુરમાં ઈટાલીયોઝ પીઝા હાઉસમાં રહેતાં રામજતન બલેશ્વર મુખીયાની ધરપકડ કરી હતી. પોલીસ તપાસમાં આરોપીએ બે દીવસ અગાઉ વસ્ત્રાપુર લેક પર લાલાભાઈ ખુમાભાઈ સંગાડાની હત્યા કર્યાની કબૂલાત કરી હતી.
રામજતને પોલીસને જણાવ્યું હતું કે, મે પાણી પીવાનું પૂછ્યું તો તેણે બિભત્સ ગાળ બોલીને મને ત્યાંથી જતા રહેવા જણાવ્યું હતું. મને ગુસ્સો આવતા હું તેમે પાવડાના આડેધડ ફટકા મારી ફરાર થઈ ગયો હતો. પોલીસ પણ આરોપીની કબૂલાત સાંભળી ચોંકી ગઈ હતી. બે દીવસ અગાઉ બનેલા હત્યાના બનાવ અંગે પોલીસે સીસીટીવી ફૂટેજ ચેક કર્યા જેમાં આરોપી હુમલો કરતા જોવા મળ્યો હતો. પોલીસે બાતમી આધારે આરોપી રામજતનની પૂછપરછ કરતા હત્યાનો ભેદ ખુલ્યો હતો.