Sunday, April 20, 2025
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeNews UpdateMy Gujaratએવુ ટાયર જેમા પંક્ચર નહીં પડે અને હવા પણ ભરવાની જરૂર નથી...

એવુ ટાયર જેમા પંક્ચર નહીં પડે અને હવા પણ ભરવાની જરૂર નથી…

Published by : Anu Shukla

  • એલ.ડી. એન્જિ.ના રબર ટેકનોલોજી વિભાગના સ્ટુડન્ટ્સનું સંશોધન

હાલમાં બજારમાં સાદા ટાયરની સાથે ઘણાં પ્રકારના ગેરન્ટી, વોરન્ટીવાળા ટયુબલેસ ટાયર મળે છે. પરંતુ શું તમે વિચાર્યું છે કે ભવિષ્યમાં એવા ટાયર વાહનોમાં લગાવવામાં આવશે, જેમાં હવા ભરવાની અને પંક્ચરની ઝંઝટમાંથી કાયમી મુક્તિ મળી જશે. એલ.ડી. એન્જિનિયરિંગના રબર ટેકનોલોજી ડિપાર્ટમેન્ટમાં અભ્યાસ કરતા ધ્રુવ પટેલ, સુમિત વડુકીયા, હેતલ માંકડિયા, રવિરાજ પટેલ અને જ્ઞાનુ ભટ્ટ દ્વારા માત્ર રબરમાંથી ખાસ પ્રકારે ડિઝાઇન કરી ‘ટ્વીલ ટાયર’ તૈયાર કરાયું છે.

સ્ટુડન્ટ ધ્રુવ પટેલે કહે છે કે, દેશના સુરક્ષા જવાનો વાહન લઇને દુર્ગમ સ્થળોએ જતા હોય છે ત્યારે ટાયરમાં પંક્ચર પડે કે ટાયરમાંથી હવા ઓછી થાય ત્યારે જે તે સ્થળે પહોંચવામાં ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે. તેમજ આ સમય ક્યારેક હુમલો થવાની પણ શક્યતા વધી જતી હોય છે તેને લીધે ઘણી મુશ્કેલભરી સ્થિતિ સર્જાઈ જાય છે.
આ ટ્વીલ ટાયરને પોલિયુરેથીન સ્પોક્સ (છરા) દ્વારા અંદર રહેલા શીયર બેન્ડ સાથે જોડે છે સાથે બહારના કિનારાને આધાર આપવા માટે ઉપયોગી બને છે. આ ટાયરમાં કોઇપણ પ્રકારની હવા ભરવામાં નથી આવતી કેમ કે આ સંપૂર્ણ ટાયર એ નેટિરલ, પોલિબ્યુટાડીન, સ્ટાયરીન બુટાડીન રબરથી આ ટ્વીલ ટાયર બનાવવામાં આવ્યું છે. આ ટાયર માત્ર રબરથી બનેલું છે.

રોજિંદા ઉપયોગમાં આવતા ટાયર સામાન્ય રીતે લગભગ ૧.૫ લાખ કિ.મી. સુધી ચાલી શકે ત્યાર બાદ તેને બદલવા પડે છે જ્યારે આ ટ્વીલ ટાયર ઘસાય તો તેના પર રહેલ રબર ગ્રીપ બદલી શકાય છે અને તેનો ખર્ચ પણ ઓછો થાય છેે. આ ટાયરમાં ઉપયોગમાં લેવાયેલા સ્પોક્સ (છરા)ને નુકસાન થયું હોવા છતાં પણ તે સરળતાથી ચાલી શકે છે સાથે ગોળીબાર અથવા વિસ્ફોટની પણ કોઇપણ પ્રકારે અસર થતી નથી.

દુર્ગમ રસ્તાઓમાં જાય તો પણ ટાયરને નુકસાન થતું નથી

આ ટ્વીલ ટાયર સામાન્ય ટાયરના બદલામાં સુરક્ષા જવાનોના વાહનોમાં ઉપયોગ કરવાથી જવાનો કોઈપણ જગ્યાએ વાહનમાં પંક્ચર પડવાની ચિંતા વગર લઇ જઇ શકશે. આ ટાયરને બનતા લગભગ ૮ કલાક જેટલો જ સમય લાગે છે. કોઇપણ રસ્તા પર જાય તો પણ આ ટાયર પર કોઇપણ પ્રકારનું નુકસાન થતું નથી. આ ટાયર કોઇપણ આકારમાં બનાવી શકાય છે. અમારો ધ્યેય સુરક્ષા જવાનોના વાહનોને ધ્યાને રાખીને આ ટાયર બનાવવામાં આવ્યું છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!