દબાણ કરનારા રૂઆબ સાથે ફરી રહ્યા છે…..: જ્યા મુખ્યમંત્રીના ઍક હુકમથી ગમે તેવા કામોનો તાત્કાલિક નિકાલ આવી જતો હોય છે. ત્યાં ગુજરાત રાજયના ત્રણ ત્રણ મુખ્ય મંત્રીઓએ દબાણ હટાવવાનો હુકમ કર્યો હોય તેમ છતા દબાણ યથાવત રહ્યુ હોય એવો કિસ્સો પણ સામે આવ્યો છે ત્યારે લોકો કહી રહયા છે કે…. એસા.. ભી.. હોતા… હે.. ત્રણ..ત્રણ મુખ્યમંત્રીના હુકમ છતાં અમદાવાદના રેવડીબજારમાંથી દબાણ કરનારા ૬૬ને હટાવાતા નથી એ હકીકત છે.રેવડી બજારની દબાણની રામાયણ હવે રાજકીય મહાભારત બનવા ભણી જઈ રહી છે…
આનંદીબહેન પટેલ, વિજય રૃપાણી અને ભૂપેન્દ્ર પટેલે ઓર્ડર છતાં દબાણ દૂર થયું નથી… આમ કેમ થાય છે…?
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કોર્પોરેટર્સ ગેરકાયદે દબાણ કરનારાઓને પડખે ઊભા હોવાથી જ ગુજરાતના ત્રણ ત્રણ મુખ્યમંત્રી એટલે કે આનંદીબહેન પટેલ, વિજય રુપાણી અને ભૂપેન્દ્ર પટેલે અમદાવાદના રેવડી બજારમાં ગેરકાયદે લાકડાંની ૬૬ જેટલી કેબિનો બનાવીને દબાણ કરનારાઓને હટાવી દેવા અને મૂળ ૪૫૬ કબજેદારોને જમીનનો કબજો સોંપી નવેસરથી માર્કેટ ડેવલપ કરવા દેવાનો આદેશ કર્યો હોવા છતાય રેવડી બજારની સમસ્યાનો ઉકેલ આવતો જ નથી. નવાઈની વાત તો એ છે કે કોર્પોરેશને મુખ્યમંત્રીના આદેશ પછીય દબાણ કરનારાઓની તરફેણમાં ગેરકાયદેસર ઠરાવ પણ કર્યો છે.નવાઈ પમાડે તેવી બાબત તો એ છે કે માર્કેટના મૂળ માલિકોએ દબાણ હટાવવા માટે હાઈકોર્ટમાં કેસ કર્યો હતો. કેસનો ચૂકાદો તેમની તરફેણમાં આવ્યો હતો. ત્યારબાદ દબાણ કરીને કેબિન ઊભી કરી દેનારા ૩૮ જણને કાયદેસરના સભ્યો સાથે જગ્યા આપવાનો આગ્રહ રાખતો ગેરકાયદે ઠરાવ કરી દેવામાં આવ્યો હતો. અમદાવાદ મ્યુકોના અધિકારીઓએ ગેરકાયદે દબાણ દૂર કરવાને બદલે દબાણ કરનારાઓને સાથ આપ્યો છે. ૨૦૧૧-૧૨માં ગુજરાતના મુખ્યમંત્રી તરીકે નરેન્દ્ર મોદીએ આ જવાબદારી આનંદીબહેન પટેલને સોંપી હતી. તેમણે ૧૫ દિવસમાં આ કામગીરી પૂર્ણ કરવા આદેશ કર્યો હતો. ત્યાર બાદ આનંદીબહેન મુખ્યમંત્રી બન્યા ત્યારે તેમણે આ કામગીરી ૧૫ દિવસમાં થઈ જવી જોઈએ તેવો આદેશ કર્યોહતો. પરંતુ આજ દિન સુધી તે કાર્ય પૂર્ણ થયું જ નથી. આનંદીબહેનના આદેશનો પાલન ન કરવામાં કોર્પોરેટર્સ અને અધિકારીઓને કમિશનરે પણ સાથ આપ્યો હતો.
ત્યારબાદ મુખ્યમંત્રી તરીકે આવેલા વિજય રૃપાણીએ રેવડી બજારના મૂળ માલિકોને ૨૦ ટકા રકમ લઈને તેમના નામે પ્લોટ કરી આપવાનો આદેશ કર્યો હતો. તેમાંય અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ અને કોર્પોરેટર્સે વાંધા ઊભા કરીને મૂળ મેમ્બર ગણાતા વેપારીઓની સમસ્યાનો ઉકેલ આવવા દીધો નથી. ગત વર્ષે ૧૪મી માર્ચે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને મળ્યા ત્યારે તેમણે એક મહિના પછી એડિશનલ સેક્રેટરી પંકજ જોશી સાથે મળીને રજૂઆત કરવા જણાવ્યું હતું. તેમ જ તેમની સમસ્યા ઉકેલવાની ખાતરી પણ આપી હતી. જોકે પંકજ જોશીને મળીને રજૂઆત કર્યા પછી પંકજ જોશીએ પણ તેમને ધક્કા જ ખવડાવ્યા હતા. દબાણ કરનારાઓ સામે કેસ થયા હોવા છતાંય અમદાવાદ મ્યુકોના અધિકારીઓ તેમને છાવરી રહ્યા છે. એસા… ભી… હોતા… હે..