Published By:-Bhavika Sasiya
- નબળી કામગીરી જણાતા શિક્ષણ મંત્રીને પડતા મુકાયા…
- શું ગુજરાતનાં મુખ્ય મંત્રી આવી પારદર્શક સમીક્ષા કરશે ખરા..?
ઓડિશાના મુખ્ય મંત્રી નવીન પટનાયકે પોતાના મંત્રીની કાર્યક્ષમતાની સમીક્ષા કરી હતી. મંત્રીઓની કામગીરીની સમીક્ષા કરતા શિક્ષણ મંત્રીની કામગીરી સંતોષકારક ન જણાતા તેમને મંત્રી મંડળ માંથી પડતા મુકવામાં આવ્યા હતા..
હવે જ્યારે લોકસભાની ચૂંટણી વર્ષ 2024 માં યોજાનારી છે ત્યારે વિવિઘ રાજ્યોની સરકારની કામગીરીની અસર પણ આ ચૂંટણીના પરિણામો પણ જણાય તે સ્વાભાવિક બાબત છે ત્યારે ઓડિશાના મુખ્ય મંત્રી નવીન પટનાયકે તેમના મંત્રીઓની કામગીરી ની સમીક્ષા કરી હતી. જેમા શિક્ષણ મંત્રી રોહિત પૂજારીની કામગીરી સંતોષ કારક ન જણાતા શિક્ષણ મંત્રીને મંત્રી મંડળ માંથી પડતા મુકવામાં આવ્યા હતા…
લોકસભાની ચૂંટણી વર્ષ 2024 માં યોજાનાર છે ત્યારે ગુજરાતનાં મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ પોતાના મંત્રી મંડળની કામગીરીની સમીક્ષા કરે અને નબળી કામગીરી કરતા મંત્રીને મંત્રી મડળ માંથી બાકાત કરે તે જરૂરી છે. અન્યથા નબળા મંત્રીઓની નબળી કામગીરીની અસર લોકસભાની ચૂંટણી પર પડી શકે છે.