Published By : Patel Shital
- હવે પ્રયોગશાળામાં મરજી મુજબ ડિઝાઇન કરેલ બાળકો જન્મે તેવી શક્યતાઓ વધી…
કુદરતની નજીક પહોંચવા માનવી અને ખાસ કરીને વૈજ્ઞાનિકો સતત પ્રયાસ કરી રહ્યા છે. જેના એક ભાગ રૂપે ઉંદરોના ઈંડા અને શુક્રાણુઓ બનાવી શકાયા છે જેના માટે ઉંદરોની ચામડીના કોષોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
વૈજ્ઞાનિકોને મળેલ અદભુત સફળતા અંગે વિગતે જોતા જાપાનની ક્યું શું યુનિવર્સિટીના વૈજ્ઞાનિક પ્રો. કાત્સુહિકો હયાશીના માર્ગદર્શનમા ઉંદરો પર પ્રયોગો કરવામાં આવ્યા હતા. તાજેતરમા લેબોરેટરીમાં 7 ઉંદરો વિકસાવવામાં આવ્યા છે જેના જૈવિક માતા-પિતા નર ઉંદરો હતા. જેની ત્વચાના કોષોમાંથી ઈંડા અને શુક્રાણુઓ બનાવવામાં આવ્યાં હતાં. આ પ્રયોગમાં સફળતા સાંપડતા હવે આ ટેકનિક મનુષ્યોમાં અપનાવવામાં આવશે. વર્ષ 2028 સુધીમાં આ પ્રયોગમાં સફળતા મળશે તેવી આશા વૈજ્ઞાનિકો રાખી રહ્યા છે.
આ પ્રયોગ સફળ થશે તો મનુષ્ય મરજી મુજબનું બાળક મેળવી શકશે. સમલૈંગિકો પણ બાળક ધરાવી શકશે અને તે પણ મરજી મુજબનુ જો કે આ વૈજ્ઞાનિક પ્રયોગ મનુષ્ય માટે સફળ થશે તો તેનાં ભય સ્થાનો પણ ઘણા હોવાનાં કારણે સાવધાન રહેવું પડશે.