Published By : Parul Patel
તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવા સંસદ ભવનનું ઉદઘાટન કર્યુ હતું. આ ઉદઘાટન રાષ્ટ્રપતિના હસ્તે ન કરાવાતા કોંગ્રેસ સહિતના કેટલાક વિપક્ષોએ તિવ્ર પ્રતિક્રિયા આપી આક્ષેપ કર્યાં હતાં…
આવી સ્થિતિમાં પણ ભારતનાં વિરોધી મનાતા દેશ એવા ચીન કે જે ભારતનો વિરોધ કરવાં અંગે એકપણ તક જતી કરતો નથી, અને ઘણી ટીકા અને આક્ષેપ તો પાયા વગરના પણ ચીન દ્વારા કરવામાં આવે છે. છતાં ચીને ભારતની નવી સંસદના વખાણ કર્યા હતા. ચીનના સરકારી મિડીયા ગ્લોબલ ટાઈમ્સના સંપાદકીય લેખમાં જણાવાયું છે કે ભારતે નવી સંસદની ઇમારત ઉભી કરીને બ્રિટિશ શાસન અને તેથી ગુલામીના ચિન્હને ભૂસી નાખ્યુ છે જે આવકારદાયક બાબત છે.