Sunday, June 8, 2025
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeBJPકેવુ કહેવાય ભાજપે રાહુલ ગાંધી બોલે તેવી ઈચ્છા વ્યક્ત કરી…

કેવુ કહેવાય ભાજપે રાહુલ ગાંધી બોલે તેવી ઈચ્છા વ્યક્ત કરી…

Published By:-Bhavika Sasiya

  • લોકસભામાં જોવા મળ્યું આગવું અને રસપ્રદ દ્રશ્ય..

લોકસભામાં અવિશ્વાસની ચર્ચાની શરૂઆત રાહુલ ગાંધી કરે તેવી ઈચ્છા ભાજપે વ્યક્ત કરી હતી…
અવિશ્વાસની દરખાસ્તની ચર્ચાની લોકસભામા શરૂઆત કોંગ્રેસના રાહુલ ગાંધી કરે તેવી ઈચ્છા ભાજપના નેતાઓએ સંસદમા વ્યક્ત કરી હતી..

આ અંગે વિગતે જોતા પ્રહલાદ જોશીથી લઈને નિશિકાંત દુબેએ રાહુલની ચર્ચાની માંગ કરી હતી.
કોંગ્રેસે કહ્યું કે વિપક્ષની ગુગલીથી શાસક પક્ષનો પરાજય થયો છે.
લોકસભામાં અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા દરમિયાન શાસક પક્ષ તરફથી રાહુલ ગાંધી ફરી મુખ્ય મુદ્દો બન્યા હતા. વાસ્તવમાં, ગૃહમાં અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા શરૂ થતાં જ સંસદીય કાર્ય મંત્રી પ્રહલાદ જોશીએ કહ્યું કે રાહુલ ગાંધી તરફથી ચર્ચા શરૂ કરવાની માહિતી મળી છે પરંતુ ગૌરવ ગોગોઈ હવે કેમ બોલી રહ્યા છે…? શું થયું કે રાહુલ ચર્ચા નથી કરી રહ્યા? એવા કટાક્ષ કરવામાં આવ્યા હતા એટલું જ નહીં, જ્યારે ગૌરવ ગોગોઈ વિપક્ષના પ્રથમ સ્પીકર તરીકે બોલ્યા ત્યારે પણ બીજેપી સાંસદ નિશિકાંત દુબેએ પણ રાહુલના ન બોલવા અંગેનો મુદ્દો ઉઠાવ્યો હતો.

કેન્દ્રીય સંસદીય કાર્ય મંત્રી પ્રહલાદ જોશીએ વિપક્ષની ચર્ચા શરૂ કરનાર નેતાના નામ વિશે પૂછવાનું શરૂ કર્યું. તેમણે કહ્યું કે અમે રાહુલ ગાંધીને સાંભળવા માંગતા હતા. શું થયું કે 11.55 સુધી ચર્ચા શરૂ કરનારાઓમાં રાહુલનું નામ સૌથી પહેલા હતું, હવે ગૌરવ ગોગોઈ બોલી રહ્યા છે. અમે રાહુલને સાંભળવા માંગતા હતા. વિપક્ષ તરફથી ચર્ચા માટે સ્પીકરે ગૌરવ ગોગોઈનું નામ લેતા જ ભાજપે ટોણો મારવાનું શરૂ કરી દીધું હતું. ભાજપના નેતાઓએ કહ્યું કે રાહુલ ગાંધી તૈયાર નથી. રાહુલ ક્યારેય વીર સાવરકર ન બની શકે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!