Tuesday, June 10, 2025
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeNews UpdateMy Gujaratખરેખર અજાયબી કહેવાય…

ખરેખર અજાયબી કહેવાય…

સાતની તીવ્રતાનો ભયંકર ભૂકંપ આવે તોય મંદિરની કાંકરી નહીં ખરે અબુધાબીના BAPS મંદિરમાં લોખંડનો એક ટૂકડો નથી લગાવ્યો..આવનાર, 2024માં ઉદ્ઘાટન કરવાનું આયોજન અબુધાબીમાં નિર્માણ પામતા સ્વામિનારાયણ મંદીર ની અદભુત બાબતો આઇઆઇટી- કાનપુરના એન્જિનિયરિંગના સ્ટૂડન્ટ અને છેલ્લા 33 વર્ષથી BAPSના મંદિરોના બાંધકામની સેવામાં જીવન અર્પણ કરનારા સંજય પરીખ સાથે અબુધાબીમાં BAPSના નિર્માણ પામી રહેલાં મંદિરમાં કઇ આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો તે સહિતની વિવિધ ચર્ચા કરવામાં આવી હતી.

મોર્ડન ટેકનોલોજી યુઝ થઇ શકે અને કેવી રીતે મંદિર બની શકે. સાથેસાથે આ જે મંદિર બને છે તેને મોર્ડન ટેકનોલોજી દ્વારા કેવી રીતે મોનીટરીંગ કરી શકીએ. તેનું હેલ્થ મોનીટરીંગ કરી શકીએ. તે અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી
અબુધાબીમાં જે મંદિર કરી રહ્યાં છીએ. તેમાં ઘણી બધી નવીન વસ્તુઓ કરી છે અને મંદિર જયારે બનતું હોય અને બન્યા પછી પણ તે ઊભુ હોય છે. જેવી રીતે ડોકટર આપણા હાર્ટબીટ માપે, બ્લડ પ્રેશર કેટલું છે, તમારુ સુગર કેટલુ છે. તેવી રીતના મંદિરની અંદર પહેલાથી એવી વ્યવસ્થા કરવામાં આવી છે કે મંદિરમાં જે જે ડિફરન્ટ પાર્ટસ છે. તેમાં ઇન્સ્ટુમેટેશન મૂકવામાં આવ્યા છે.

જેના કારણે જેમ જેમ મંદિર બનતુ જાય છે. એટલે મંદિર બાંધતી વખતે અને બાંધ્યા પછી પણ વર્ષો સુધી એ એની હેલ્થ કેવી છે. મંદિર કયા સ્ટેજ પર છે. કોઇ જગ્યાએ પ્રશ્ન થયો કે નથી થયો, થવાનો છે કે નથી થવાનો તેની કન્ટીન્યુસ માહિતી આપે છે. એટલે કે ઓનલાઇન બધો ડેટા આવે છે. આપણે ડિફાઇન કર્યું હોય તેમ દર 30 મિનિટે એક ડેટા આપણાં સર્વર પર આવી જાય અને તે ડેટાનું આપણે સતત એનાલિસિસ કરીએ છીએ. એટલે કે એકબાજુ આપણી પાસે ડિઝાઇન છે અને બીજીબાજુ આપણી પાસે ડેટા છે. તે બંનેનું આપણે સતત કોમ્બીનેશન કરીને બંનેને કમ્પેર કરીને આપણે જોઇએ છીએ કે જે પ્રમાણે ડિઝાઇન થયું છે તે પ્રમાણે કારણ કે આ મંદિર જે જગ્યાએ બની રહ્યું છે ત્યાં મોટો અર્થકવેક આવવાની શક્યતા છે. એટલે એ પ્રમાણે બનાવવામાં આવી રહ્યો છે કે જે સ્કેલમાં ભૂજમાં અર્થકવેક આવ્યો હતો તે જ સ્કેલમાં અર્થકવેક ત્યાં આવવાની શક્યતા છે. તો તે પ્રકારનો અર્થકવેક આવે તો પણ શું થશે અને તે કેવી રીતે બીહેવ કરશે તેનું પણ અત્યારથી તે પ્રમાણે મોનીટરીંગ કરીએ છીએ. તે પ્રમાણે ડિઝાઇન ચેન્જ કરીને ઘણી બધી વસ્તુઓ કરી છે. સાથે સાથે આપણે જે ક્રોકીંટ અને જે બધુ યુઝ કરીએ છીએ. હાયવોલ્યુમ ફાયર ક્રોકીંટ યુઝ કરવાની સાથે ઘણી બધી ટેકનોલોજી આપણે ત્યાં યુઝ કરી રહ્યાં છીએ.


આ મંદિરમાં એકપણ લોખંડનો ટૂકડો કોઇપણ રેનફોર્સમેન્ટમાં યુઝ કર્યો નથી. શિલ્પ શાસ્ત્રમાં કીધુ છે તે પ્રમાણે ઇંટો અને પથ્થરના માધ્યમથી આ મંદિર બનાવીએ છીએ. તેમ છતા આટલો મોટો અર્થકવેક આવે તો પણ મંદિર સારી રીતના ઊભું રહી શકે તેવી રીતની ડિઝાઇન આપણે કરી છે.આપણાં મંદિરો શિલ્પ શાસ્ત્ર પ્રમાણે બને છે તેની અંદર ફેરસ મેટલ એટલે કે લોખંડનો ઉપયોગ કરવાની ના પાડે છે, એટલા માટે કે સ્ટ્રકચરની લાઇફ ઘણી વખત ઘટી જતી હોય છે. તેના કારણે જેટલાં પણ પુરાણા મંદિર ભારતમાં બન્યાં છે. તે બધાં જ મંદિરોમાં કયાંય પણ લોખંડનો ટૂકડો યુઝ કરવામાં આવ્યો નથી. અને આપણાં BAPSના ઘણા બધાં મંદિર બનાવ્યાં છે. ભારતમાં બન્યા છે તે અને લંડન, શિકાગો, ટોરેન્ટોમાં પણ બન્યુ છે. આ બધા મંદિરોમાં આપણે સ્ટીલ વાપર્યા વગર જ મંદિરનું નિર્માણ કર્યું છે તેમ છતા નબળાઇ નથી આવતી ઉલ્ટી મજબૂતી આવે છે. મજબૂતી એટલા માટે આવે છે કે, જયારે લોખંડ વાપરો છો ત્યારે લોખંડનો એક એવો સ્વભાવ છે કે તે પોતે ધીરે ધીરે રસ્ટ કાટ થતું જાય છે. અને રસ્ટીંગના લીધે વસ્તુ જે છે તેની લાઇફ કોઇપણ કે અત્યારે મોડર્ન સ્ટ્રકચર ડિઝાઇન થયેલા છે તેની લાઇફ 50, 60 કે 100 વર્ષ સુધીની જ ગણવામાં આવે છે. જયારે આપણે જે મંદિર ડિઝાઇન થયું છે તેને 500, 700 કે હજાર વર્ષ સુધી કાંઇ ના થાય. ખરેખર લોખંડ નહીં વાપરવાથી તેની વધુ મજબૂતી આવે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!