Sunday, June 8, 2025
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeNews UpdateNation Updateખાસ જાણવા જેવું...આ 10માંથી કોઈ એક બીમારી છે તો ટ્રેનમાં મળશે ડિસ્કાઉન્ટ…ભાડામાં...

ખાસ જાણવા જેવું…આ 10માંથી કોઈ એક બીમારી છે તો ટ્રેનમાં મળશે ડિસ્કાઉન્ટ…ભાડામાં 75 ટકા સુધીનો ઘટાડો થઈ શકે છે…

Published By : Parul Patel

રેલ્વે દ્વારા મુસાફરોના હિતમાં ઘણા નિણયો કરવામાં આવે છે. જે પૈકીનો એક નિર્ણય એ લેવાયો છે કે 10 જેટલી બીમારીઓના દર્દીઓને રેલ્વે ભાડામાં ખાસ રાહત આપશે. ઘણીવાર લોકો માને છે કે વરિષ્ઠ નાગરિકો અને વિકલાંગોને જ ટ્રેનના ભાડામાં છૂટ મળે છે. પરંતુ રેલ્વેમાંથી ઘણા વર્ગના લોકોને છૂટ આપવામાં આવે છે, જેમાં બીમાર લોકોનો પણ સમાવેશ થાય છે. રેલવે દ્વારા અમુક રોગોથી પીડિત લોકો માટે ભાડામાં રાહતની જોગવાઈ કરવામાં આવી છે જેમકે કેન્સરના દર્દીઓ અને તેમની સાથે જનારા એટેન્ડન્ટ માટે ભાડામાં મુક્તિની જોગવાઈ છે. જો તેઓ સારવાર માટે ક્યાંક જઈ રહ્યા હોય, તો તેમને AC ચેર કારમાં 75 ટકા છૂટ મળે છે. તે જ સમયે, AC-3 અને સ્લીપરમાં 100 ટકા ડિસ્કાઉન્ટ ઉપલબ્ધ છે. ફર્સ્ટ ક્લાસ, સેકન્ડ એસી ક્લાસમાં 50 ટકા ડિસ્કાઉન્ટ પણ ઉપલબ્ધ છે. થેલેસેમિયા, હાર્ટ પેશન્ટ, કિડની પેશન્ટને પણ ભાડામાં રાહત મળે છે. જો હૃદયના દર્દીઓ હૃદયની સર્જરી માટે જાય છે અને કિડનીના દર્દીઓ કિડની ટ્રાન્સપ્લાન્ટ અથવા ડાયાલિસિસ માટે જાય છે, તો ભાડામાં મુક્તિની જોગવાઈ છે. આ સ્થિતિમાં AC-3, AC ચેર કાર, સ્લીપર, સેકન્ડ ક્લાસ, ફર્સ્ટ એસીમાં 75 ટકા ડિસ્કાઉન્ટ ઉપલબ્ધ છે. આ સાથે દર્દીની સાથે આવનાર વ્યક્તિને પણ છૂટનો લાભ મળે છે.

તેમજ હિમોફીલિયાના દર્દીઓને સારવાર માટે જતા ભાડામાં પણ રાહત મળે છે. આ દર્દીઓની સાથે વધુ એક વ્યક્તિને પણ ભાડામાં છૂટ મળે છે. આ લોકોને સેકન્ડ ક્લાસ, સ્લીપર, ફર્સ્ટ ક્લાસ, AC-3, AC ચેર કારમાં 75 ટકા ડિસ્કાઉન્ટ મળે છે. ટીબીના દર્દીઓને સારવાર માટે જવા ભાડામાં મુક્તિની જોગવાઈ છે. આ દર્દીઓને સેકન્ડ, સ્લીપર અને ફર્સ્ટ ક્લાસમાં 75 ટકા ડિસ્કાઉન્ટ મળે છે. સાથે અન્ય વ્યક્તિને પણ ભાડામાં છૂટ આપવામાં આવે છે.

ચેપ વગરના રક્તપિત્તના દર્દીઓને બીજા, સ્લીપર અને પ્રથમ વર્ગમાં પણ 75% છૂટ આપવામાં આવે છે. એઇડ્સના દર્દીઓને સારવાર માટે જતા સમયે બીજા વર્ગમાં પણ 50% છૂટ આપવામાં આવે છે. ઓસ્ટોમીના દર્દીઓને પ્રથમ અને બીજા વર્ગમાં માસિક સત્ર અને ક્વાર્ટર સત્રની ટિકિટમાં પણ છૂટ મળે છે. તેવીજ રીતે, એનિમિયાના દર્દીઓને સ્લીપર, એસી ચેર કાર, એસી-3 ટાયર અને એસી-2 ટાયરમાં પણ 50 ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!