Sunday, June 8, 2025
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeNews UpdateNation Updateગૂગલ એન્જિનિયરે ભગવદ ગીતાથી પ્રેરિત ગીતા GPT, AI ચેટબોટ બનાવ્યું...

ગૂગલ એન્જિનિયરે ભગવદ ગીતાથી પ્રેરિત ગીતા GPT, AI ચેટબોટ બનાવ્યું…

Published by : Vanshika Gor

એઆઈ ચેટબોટ ChatGPT અને Bard પછી હવે એઆઈ ચેટબોટ ટેક્નોલોજીને લઇને હોડ મચી ગઈ છે. ગૂગલના એક સોફ્ટવેર એન્જિનિયરે ભગવદ્ ગીતાથી પ્રેરાઈને AI ચેટબોટ Gita GPT વિકસિત કર્યું છે. તેની મદદથી યૂઝર્સ તેમની દરરોજની સમસ્યાઓ વિશે ભગવદ્ ગીતાથી સલાહ-સૂચન મેળવી શકશે.

ભગવદ્ ગીતાથી સલાહ-સૂચન કરીને તમારા જવાબો આપશે માહિતી અનુસાર Gita GPT પર યૂઝર્સ જે પણ સવાલો કરશે ત્યારે એઆઈ ચેટબોટ ભગવદ્ ગીતાથી સલાહ-સૂચન કરીને તમારા જવાબો આપશે. ઉલ્લેખનીય છે કે Gita GPT પણ ચેટ જીપીટીની જેમ જ એક પ્રકારનું એઆઈ ચેટબોટ છે.

Gita GPT આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ ચેટબોટ જીપીટી-૩ દ્વારા સંચાલિત થાય છે. બેંગ્લુરુ સ્થિત ગૂગલ સોફ્ટવેર એન્જિનિયર સુકુરુ સાંઇ વિનીતે Gita GPT વિકસાવ્યું છે. તે ભગવદ્ ગીતાથી પ્રેરિત છે. વિનીત એઆઈની દોડમાં સામેલ થઇ ગયા છે અને તેમણે ચેટ જીપીટી જેવું જ ટૂલ વિકસાવ્યું છે. Gita GPT આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ ચેટબોટ જીપીટી-૩ દ્વારા સંચાલિત થાય છે જે સીધા ભગવદ્ ગીતાથી તમારા જીવન સંબંધિત મુદ્દાઓના જવાબ આપે છે.

માઈક્રોસોફ્ટ અને ગૂગલ વચ્ચે હોડ મચી ઉલ્લેખનીય છે કે હવે આ ક્ષેત્રમાં માઈક્રોસોફ્ટ અને ગૂગલ જેવી ટેક દિગ્ગજ કંપનીઓએ તેમના એઆઈ બોટ વિકસાવવાનું શરૂ કરી દીધું છે. તેમણે પોત-પોતાના ચેટબોટ રજૂ કરી દીધા છે. જેમાં તાજેતરમાં ગૂગલના ચેટબોટ બાર્ડને કારણે ગૂગલને મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો કેમ કે તેણે એક સવાલનો ખોટો જવાબ આપી દીધો હતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!