Published by : Rana Kajal
સંરક્ષણ કેન્દ્રીય મંત્રી રાજનાથ સિંહે વાયુસેનાના પ્રથમ હેરિટેજ સેન્ટરનું ઉદઘાટન કર્યુ હતું. કેન્દ્રીય સંરક્ષણ કેન્દ્રીય મંત્રી સિંહે વાયુસેનાના પ્રથમ હેરિટેજ સેન્ટરનું ઉદઘાટન કર્યું હતું. આ હેરિટેજ સેન્ટરની સ્થાપના કેન્દ્ર શાસિત પ્રદેશ ચંદીગઢ અને વાયુસેના વચ્ચે થયેલા સમજૂતી કરાર હેઠળ કરવામાં આવી છે. જે અંગેનાં કરાર એક વર્ષ અગાઉ કરવામા આવ્યા હતા. હેરિટેજ સેન્ટરના ઉદ્ઘાટન પ્રસંગે પંજાબના રાજ્યપાલ અને ચંદીગઢના પ્રશાસક બનવારીલાલ પુરોહિત, એર ચીફ માર્શલ વી આર ચૌધરી સાંસદ કિરણ ખેર ઉપસ્થિત રહ્યા હતા. આ હેરિટેજ સેન્ટરનું મહત્વ એટલા માટે છે કે દેશમાં પ્રથમ વાર વાયુસેનાના ભવ્ય વારસાન સાચવીને રાખવા અંગે વ્યવસ્થા કરવામાં આવી છે.