Published by : Rana Kajal
- કેમિકલયુક્ત દુષિત પાણી છોડી મુકનાર તત્વો સામે પગલા ભરવા માંગ…
જંબુસર તાલુકાના કાનવા અને પીલુદરા ગામના રહેણાંક વિસ્તારમાંથી પસાર થતી વેડચ પાઈનોર કેનાલમાં કેમિકલયુક્ત લાલ પાણીને પગલે ખેતી સહીત ગ્રામજનોના આરોગ્ય સામે ખતરો ઉભો થયો છે.
જંબુસર તાલુકામાં કેનાલો તૂટી પડવાની ઘટનાઓ બાદ કેનાલમાં લાલ પાણી વહેતું હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. જંબુસર તાલુકાના કાનવા અને પીલુદરા ગામના રહેણાંક વિસ્તારમાંથી પસાર થતી વેડચ માઇનોરમાં દુષિત લાલ કેમિકલવાળા પાણીને લઇ ખેતી માટે ઉપયોગ કરતા ખેડૂતો સાથે કાનવા અને પીલુદરા ગામના રહેણાંક વિસ્તારના લોકો નાહવા અને કપડા-વાસણ ધોવા માટે ઉપયોગ કરે છે.રવિવારે સાંજે બંને ગામની સીમમાં પાશ્વનાથ કંપની પાસેથી પસાર થતી વેડચ માઈનોરમાં અચાનક જ કેમિકલયુક્ત લાલ પાણી નજરે પડતા કપડા-વાસણ ધોવા આવેલ મહિલાઓ ચોકી ઉઠી હતી અને તેઓએ પીલુદરા ગામના સરપંચ બલવંતસિંહ પઢીયાર તેમજ કાનવા ગામના ડેપ્યુટી સરપંચ રાકેશ પટેલને જાણ કરતા તેઓ સ્થળ પર દોડી આવ્યા હતા અને કેમિકલયુક્ત લાલ પાણીને લઇ રોષ ઠાલવી જવાબદાર તત્વો સામે પગલા ભરવા માંગ કરી છે.
