- આતંકવાદી રેન્કમાં સામેલ 86 સ્થાનિક યુવાનોને પણ ખતમ કરાયા
આતંકવાદ હવે અંતિમ તબક્કામાં છે. આતંકવાદને પ્રોત્સાહન આપનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. DGP દિલબાગ સિંહે જણાવ્યુ હતુ કે આતંકવાદ સાથે સંકળાયેલા બ્લોગ્સ અને વેબસાઇટ્સ અમારી દેખરેખ હેઠળ છે. તેની સામે એફઆઈઆર નોંધવામાં આવી છે. તો જમ્મુ-કાશ્મીરમાં આ વર્ષે એટલે કે 2022માં સુરક્ષા દળોએ 56 વિદેશી આતંકવાદીઓને ઠાર કર્યા હતા.
DGP દિલબાગ સિંહે કહ્યું કે 102 સ્થાનિક યુવાનો જેઓ આતંકવાદી રેન્કમાં જોડાયા હતા, તેમાંથી 86ને પણ ખતમ કરવામાં આવ્યા હતા. સિંહે કહ્યું કે જે લોકો આતંકવાદનો માર્ગ પસંદ કરે છે, તેમનું જીવન બહુ ટૂંકું હોય છે. યુવાનોએ આતંકવાદનો માર્ગ નહીં પરંતુ શાંતિ અને સમૃદ્ધિનો માર્ગ અપનાવવો જોઈએ.
સિંહે કહ્યું કે હજુ પણ સરહદ પાર ટ્રેનિંગ કેમ્પમાં લોકો છે. આ તરફ કેટલાક આતંકવાદીઓ છે જેમને ઘૂસણખોરી કરવા માટે મજબૂર કરવામાં આવી રહ્યા છે. પરંતુ સરહદ પરના દળો તેનો સામનો કરવા માટે સતર્ક છે. સુરક્ષાને લઈને સિંહે કહ્યું કે અમે તમામ પ્રકારની સાવચેતી રાખી રહ્યા છીએ. હું આશા રાખું છું કે દરેક જગ્યાએ બધું સારું છે. અમારી સુરક્ષામાં કોઈ છટકબારી રહેશે નહીં.