અંકલેશ્વરના જુના બોરભાઠા ગામના સ્કુલ ફળિયામાં રહેતા ગોપાલ માધવસંગ ઠાકોર મચ્છીનો વેપાર કરે છે જેઓ ગત તારીખ-૨૭મી જુલાઈના રોજ સાંજના સમયે નર્મદા નદી કિનારે બોટ જોવા જતા હતા તે વેળા ત્યાં બેઠેલા ઇમરાન અને આરીફે તેઓને અટકાવી તારી પત્ની મકાઈ વાળાને કહેલ કે બાવાને ગામમાં રહેવા દેવાનો નથી તેમ કહી બંને ઈસમોએ ગોપાલ ઠાકોર સાથે ઝઘડો કરી આવેશમાં આવી ગયેલા બંને ઈસમોએ ધીક્કા પાટુનો માર માર્યો હતો આ વેળા ગોપાલ ઠાકોરનો પુત્ર ત્યાં દોડી આવી તેઓને ઠપકો આપતા ઇમરાને તેના પાસે રહેલ ચપ્પુ વડે તેના પર હુમલો કરતા તેને ઈજાઓ પહોંચી હતી જયારે આ બંને ઇસમોનું ઉપરાણું લઇ સુનીલ નામના ઇસમેં પણ મારામારી કરી હતી મારામારી અંગે અંકલેશ્વર શહેર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.