Saturday, September 13, 2025
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeBharuchતપોભૂમિ નર્મદા પુસ્તકથી પ્રેરિત કલકત્તાનું શિક્ષિત દંપતી નર્મદા મૈયાના દર્શને આવ્યું...

તપોભૂમિ નર્મદા પુસ્તકથી પ્રેરિત કલકત્તાનું શિક્ષિત દંપતી નર્મદા મૈયાના દર્શને આવ્યું…

  • ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાના ગાઈડ સાઉન મુખપાધ્યાયએ નર્મદા મૈયાના તીર્થ સ્થાનોના કર્યા દર્શન..

પશ્ચિમ બંગાળના કલકત્તામાં રહેતું શિક્ષિત દંપતીને માં નર્મદાએ બોલાવ્યા હોય તેવો આભાસ થતા ભરૂચના તીર્થોના દર્શને આવ્યું છે.

કહેવાય છે ને કે દુનિયાના ગમે તે છેડા પર નર્મદા મૈયાના ભક્તો રહેતા હોય તેવા ભક્તોને દર્શન માટે માં નર્મદા તેઓને પોતાના તરફ આકર્ષે છે. બસ આવું જ કંઈક પશ્ચિમ બંગાળના કલકત્તા શહેરમાં રહેતા અને વ્યવસાયે પ્રોફેસર એવા સાઉન મુખપાધ્યાય એક કોલેજમાં સ્પેનિશ લેંગ્વેજ ભણાવે છે જેઓ નાના હતા તે સમયે તેઓના માતા-પિતા સાથે ભરૂચ જિલ્લામાં આવ્યા હતા.

કોલેજના સમયે ટીવી કાર્યક્રમ નિહાળી નર્મદા મૈયા તરફ ખેંચાવ આવ્યો

જે બાદ સમય જતા તેઓ કોલેજમાં હતા તે સમયે ટીવી પર ઓમકારેશ્વરના દર્શન નામનો એક કાર્યક્રમ નિહાળ્યો હતો. જે કાર્યક્રમને જોઈ તેઓએ મન બનાવી લીધું હતું કે નર્મદા મૈયા તરફ તેઓનો ખીંચાવ વધુ મજબૂત બન્યો હતો. બસ પછી તો શું થાય તેઓના લગ્ન થયા બાદ તેઓના પતિના સંબંધી મધ્યપ્રદેશના અમરકંટક નજીક આવેલ બિલાસપુરમાં રહે છે જ્યાં તેઓ પતિ સાથે ગયા હતા તે સમયે ઓમકારેશ્વરથી પ્રથમ શરૂઆત થઈ નર્મદા મૈયાના દર્શન કરી સાઉન મુખપાધ્યાય ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા જાણે પોતાની માતાને મળતા હોય તેવો તેઓને આભાષ થયો હતો.

રેવાનો પ્રેમ ભરૂચ-અંકલેશ્વર આવાની તીવ્ર ઈચ્છા વધારી..

સાઉન મુખપાધ્યાય તેઓ પોતાના પતિ સાથે ઓમકારેશ્વર, જબલપુરનો પ્રવાસ કર્યા પછી ભરૂચ-અંકલેશ્વર આવાની તીવ્ર ઈચ્છાઓ વચ્ચે નર્મદા નદીના કિનારે આવેલ વિવિધ તીર્થોના દર્શન કરવા નીકળ્યા હતા. આ દંપતીએ 1950માં શૈલેન્દ્ર ઘોષલ શાસ્ત્રી લિખિત તપોભૂમિ નર્મદા પુસ્તકને વાંચી નર્મદા મૈયાના દર્શને નીકળ્યું છે.

એક પુસ્તકની પ્રેરણાથી દંપતીએ નર્મદા નદીના કાંઠે આવેલ તીર્થોના દર્શન કર્યા

આ તપોભૂમિ નર્મદાના પુસ્તકને સહારે દંપતી નર્મદા નદીના કાંઠે આવેલ તીર્થોના દર્શન કરી તેનું નોંધ લઈ રહ્યું છે. પુસ્તકના સમય બાદ હાલ બદલાવ જોવા મળી રહ્યો હોવાનું પણ દંપતી જણાવી રહ્યું છે.પરંતુ પુસ્તકમાં લખાયેલ શબ્દો મુજબનું વર્ણન જાણે કે આજે જ પુસ્તક લખ્યું હોય તેવો પણ આભાષ દંપતીને થઈ રહ્યો છે નર્મદાની પરિક્રમા કરતા પરિક્રમાવાસીઓની વિશાળ સંખ્યા 73 વર્ષે આજે પણ એટલી જ માત્રામાં હોવાથી તેઓ જાણે પોતાની માતા પાસે આવ્યા હોય તેવો અનુભવ કરી રહ્યા છે.પુરાણોમાં કહેવાયું છે કે નર્મદા નદીની પરિક્રમા રેવાના સાક્ષાત્કાર કરાવે છે.જેથી જ ગર્વમેન્ટ ઓફ ઈંડિયાના ટુરિઝ ગાઈડ સાઉન મુખપાધ્યાય નર્મદા મૈયાના અને નર્મદા નદીના કાંઠે આવેલ તીર્થોના દર્શન કરી પોતાની ખુશીમાં તરબોળ થયા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!