Published by : Rana Kajal
ભારતનાં રેલવે બજેટમાં દર વર્ષે જંગી વધારો કરવામાં આવે છે. તેમ છતાં રેલ અકસ્માતની સંખ્યામા ઘટાડો થયો નથી. તેથી વિપરીત 37 ટકાનો વધારો નોંધાયો છે. રેલવે તંત્ર દ્વારા મુસાફરોની સુરક્ષાને સૌથી વધુ મહત્તવ આપવામાં આવે છે તેવો દાવો રેલવે તંત્ર દ્વારા કરવામાં આવે છે તેમ છતાં અકસ્માતોના બનાવો વધી રહ્યા છે તે એક વાસ્તવિકતા છે. આશરે 28 વર્ષ બાદ થયેલ આ ભીષણ અને કરુણ રેલવે અકસ્માતના પગલે કે જેમાં 280 કરતા વધુ મુસાફરોના મોત નીપજ્યા તેમજ 900 થી વધારે મુસાફરોને ઇજા પહોચી છે.આ અકસ્માતના બનાવે રેલવે મંત્રાલય અને રેલવે તંત્ર સામે અનેક પ્રશ્નો ઉપસ્થિત કર્યાં છે. જૉકે ઓડિશાની આ રેલ દુર્ઘટના પહેલાજ રેલ મંત્રાલયે સ્ટાફની અછત તેમજ વિવિઘ સ્ટોકની અછતના મુદ્દા ઉઠાવ્યા હતા.