Published by : Rana Kajal
- દિલ્હીનો વહીવટ કેજરીવાલ જ કરશે, કેન્દ્ર સરકારને હસ્તક્ષેપ ન કરવા તાકીદ …
દિલ્હી રાજયના વહીવટ અંગે વારંવાર વિવાદ ઉભા થાય છે ત્યારે હાલમાં દિલ્હીમાં કરવામાં આવેલ ઉચ્ચ અધિકારીઓની ભરતી અંગે કેન્દ્ર સરકાર અને દિલ્હી સરકાર વચ્ચે વિવાદ સર્જાયો હતો. જે અંગે સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ ડી. વાય.ચંદ્રચૂડ ના વડપણ હેઠળ ની બેન્ચે ચુકાદો આપતા જણાવ્યું હતું કે જમીન, પોલીસ અને કાયદો અને વ્યવસ્થા સિવાયની દેશના પાટનગર તમામ બાબતોનો વહીવટ. દિલ્હી સરકાર દ્વારા જ કરવામાં આવશે.
આ મહત્વના સુપ્રીમ કોર્ટના ચુકાદા મુજબ દેશના પાટનગર દિલ્હીમાં કાયદો અને વ્યવસ્થાની જવાબદારી કેન્દ્ર સરકારની રહેશે. જ્યારે બીજી તમામ મહત્વની બાબતો અંગે દિલ્હી સરકારનુ નિયંત્રણ રહેશે એમ સુપ્રીમ કોર્ટે ચુકાદામાં સ્પષ્ટ પણે જણાવ્યું હતુ