Published by : Anu Shukla
હાલના સમયમાં લોકો હવાઈ માર્ગે વધૂ મુસાફરી કરી રહ્યા છે. તેથી ફ્લાઇટની સંખ્યામા પણ વધારો થયો છે. તે સાથે સાથે નાની મોટી દુર્ઘટનાઓના બનાવો પણ બની રહ્યા છે. જૉકે સદભાગ્યે ઍક મોટી દુર્ઘટના બનતી અટકી ગઈ હતી…
એર ઇન્ડિયા એક્સપ્રેસની ફ્લાઇટના એન્જિનમાં આગ લાગ્યા પછી તેને ફરી અબૂ ધાબી એરપોર્ટ ઉપર ઇમરજન્સી લેન્ડિગ કરાવવામાં આવ્યું હતુ. ફ્લાઇટ અબૂ ધાબીથી કાલીકટ આવી રહ્યું હતું. એર ઇન્ડિયા એક્સપ્રેસના જણાવ્યા પ્રમાણે બધા જ 184 પેસેન્જર્સ સુરક્ષિત છે. આ અંગે DGCAએ જાણકારી આપી છે કે એર ઇન્ડિયા એક્સપ્રેસનું B737-800 વિમાન જે ફ્લાઇટ નંબર IX 348 હેઠળ ઓપરેટ કરવામાં આવી રહ્યું હતું, તેના એન્જીન નંબર-1માં આગ લાગી ગઈ હતી, આ કારણે તેને પાછું મોકલવામાં આવ્યું હતુ. DGCA એ જણાવ્યું કે VT-AYC નંબરથી રજિસ્ટર્ડ વિમાનમાં જે સમયે આગ લાગી, તે સમયે તે 1000 ફૂટ ઊંચાઈએ હતું.
એર ઇન્ડિયાના એક અધિકારીએ જણાવ્યું કે ફ્લાઇટે શુક્રવારે એટલે આજે સવારે કેરલના કાલીકટ માટે ઉડાન ભર્યું હતું. ટેક ઓફ દરમિયાન તેના ફ્લાઇટ મેનેજમેન્ટ સિસ્ટમમાં ટેક્નિકલ ખામી આવી ગઈ હતી. જૉકે ઉડાન ભર્યા પહેલાં પાયલોટે આ ખામીને નોટિસ કરી નહોતી. જોકે, પછી આગની જાણકારી મળ્યા પછી ફલાઇટને ફરી અબૂ ધાબી મોકલવામાં આવ્યું અને સુરક્ષિત લેન્ડ કરાવવામાં આવ્યું હતું.