Published By : Patel Shital
- વધુ ભક્તો ઉમટી પડે તેવી સંભાવના..
- નદીના બંને ઘાટ ખાતે હોડીની સંખ્યા વધારવામાં આવી…
આજે નર્મદા માતાની પંચકોશી પરિક્રમાનો છેલ્લો રવિવાર હોવાથી ખુબ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડે તેવી શકયતાઓ રહેલી છે. વિતેલા રવિવારના દિવસે અપુરતી હોડીની સંખ્યાના કારણે હોબાળો મચી ગયો હતો. જેના પગલે તંત્ર દ્વારા નર્મદા નદીના બન્ને ઘાટ ખાતે હોડીની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો છે. ચૈત્ર મહિનાના આ અંતિમ રવિવારના રોજ 50 હજાર કરતા વધુ શ્રદ્ધાળુઓ ઉમટી પડે તેવી સંભાવના હોવાથી તંત્ર દ્વારા તિલકવાડા ઘાટ ખાતે 20 હોડી અને શહેરાવ ઘાટ ખાતે 14 હોડી પરિક્રમાવાસીઓ માટે તૈનાત કરવામાં આવી છે.