- ફિલ્મમાં ખિલજી-ચંગેઝ ખાન જેવો રાવણનો લુક છે : હિંદુ મહાસભા
ઓમ રાઉત દ્વારા નિર્દેશિત ફિલ્મ આદિપુરુષનું ટીઝર ગતરોજ રીલીઝ કરવામાં આવ્યું હતું. ૧૨ જાન્યુઆરી,૨૦૨૩માં આ ફિલ્મ સિનેમાઘરોમાં રીલીઝ કરવામાં આવશે. ૫૦૦ કરોડ રૂપિયાના બજેટમાં આ ફિલ્મ બનાવવામાં આવી છે. ફિલ્મમાં ટીઝર તથા પોસ્ટરને દર્શકો તરફથી ખરાબ રીસ્પોન્સ મળ્યો છે. આ ફિલ્મમાં પ્રભાસ, કૃતિ સેનન અને સૈફ અલી ખાન મુખ્ય રોલ ભજવ્યો છે. ફિલ્મને લઈને મેકર્સને ટ્રોલ કરવામાં આવી રહ્યા છે. ફિલ્મમાં સૈફ અલી ખાનના રાવણનાં લુકને લઈને વિવાદ સર્જાયો છે. હવે આ વિવાદમાં હિંદુ મહાસભા અને બીજેપી પણ જોડાઈ ગઈ છે.
બીજેપીના પ્રવક્તા માલવિકા અવિનાશે રાવણનાં લુક પર આપત્તિ વ્યક્ત કરી છે. તેમણે એક પોસ્ટ શેર કરીને કહ્યું છે કે લંકાના રહેવાસી રાવણ એક શિવ ભક્ત હતા, જેમણે 64 કલાઓમાં મહારત હાંસલ કરી હતી. વિજય જે વૈકુંઠની રક્ષા કરી રહ્યા હતા અને એક શ્રાપને કારણે રાવણનાં સ્વરૂપમાં અવતરિત થયા હતા. ફિલ્મમાં સૈફ અલી ખાનના લુકને લઈને કહ્યું હતું કે આ તુર્કીનો સરમુખત્યાર હોય શકે છે પણ રાવણ નથી. તેમજ એમ પણ કહ્યું હતું કે બોલીવુડ આપણા ઈતિહાસને ખોટા પ્રકારે પેશ કરવાનું બંધ કરે.