Published by : Rana Kajal
- આરોપીએ જણાવ્યું કે યુવતીની કુંડળીમાં માંગલિક દોષ હોવાથી લગ્ન કરી શકે નહી….
આ દુનિયામાં લોકો આજે પણ જ્યોતિષ શાસ્ત્રને માની રહ્યાં છે ત્યારે કદાચ પહેલી વાર અદાલતમાં દુષ્કર્મના આરોપીએ જ્યોતિષશાસ્ત્રનો ઉલ્લેખ કરી યુવતી માંગલિક હોવાનુ જણાવી લગ્ન કરી શકાય નહી તેવી રજુઆત કરી જામીનની માંગણી કરી હતી. જૉકે સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે ફોજદારી કેસને જ્યોતિષ સાથે કોઇ લેવાદેવા નથી.. ક્રાઇમ તેમજ જ્યોતિષ અને ન્યાયને સાંકળતા આ કિસ્સા અંગે વિગતે જોતાં તાજેતરમા તા 23 મે ના રોજ અલ્હાબાદ હાઈકોર્ટની બેન્ચે ઍક વિચિત્ર આદેશ આપ્યો હતો. આ આદેશમાં લખનઉ યુનિવર્સિટીના જ્યોતિષ વડાને જણાવ્યું હતુ કે તેઓ જ્યોતિષના આધારે પીડિતાની કુંડળી તપાસીને જણાવે કે પીડિતાને માંગલિક દોષ છે કે નહી ત્યાર બાદ જ આરોપીના જામીન અંગે નિર્ણય લઈ શકાશે જૉકે સુપ્રીમ કોર્ટે આ અંગે સ્પષ્ટ અભિપ્રાય આપ્યો હતો કે ન્યાય અને જ્યોતિષ શાસ્ત્ર સાથે કોઇ લેવાં દેવા નથી