Sunday, June 8, 2025
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeNews Updateબાલાસોર ટ્રેન અકસ્માત માનવ ભૂલના કારણે થયો… જૉકે હજી સત્તાવાર જાહેરાત બાકી…...

બાલાસોર ટ્રેન અકસ્માત માનવ ભૂલના કારણે થયો… જૉકે હજી સત્તાવાર જાહેરાત બાકી… સીબીઆઇ પણ તપાસ કરતી હોય, રખાય છે સાવધાની…

Published by : Rana Kajal

બાલાસોર ટ્રેન અકસ્માતની ધટના ખુબ કરૂણ હતી જે ધટના અંગે માનવ ભૂલ જવાબદાર હોવાનુ હાલ તુરત જાણવા મળી રહયું છે જૉકે હજી સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી… કેટલાક દિવસો અગાઉ બનેલ ઓડિશા ત્રિપલ ટ્રેન અકસ્માત વિશે તપાસ રિપોર્ટમાં બધી જ અસલિયત બહાર આવી ગઈ છે પરંતું આ ઘટનાની તપાસ સીબીઆઇ પણ કરતી હોવાના કારણે હાલ કોઇ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી…

ભારતીય રેલ્વે બાલાસોર ટ્રેન દુર્ઘટના પર CRS એટલેકે કમિશ્નર ઓફ રેલ્વે સેફ્ટી ના તપાસ અહેવાલને સાર્વજનિક કરશે નહીં, તેની ખાતરી કરવા માટે કે તે અકસ્માતની CBI તપાસને અસર ન કરે. વરિષ્ઠ અધિકારીઓએ શુક્રવારે આ અંગે માહિતી આપી હતી. જો કે, હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી. પરંતુ કેટલાક સૂત્રોનું કહેવું છે કે કમિશનર ઑફ રેલ્વે સેફ્ટીએ તેમના રિપોર્ટમાં કહ્યું છે કે ‘સિગ્નલિંગ એન્ડ ટેલિકોમ ડિપાર્ટમેન્ટ’ અને ટ્રાફિક વિભાગના ફરજ પરના અધિકારીઓની માનવ ભૂલને કારણે આ અકસ્માત સર્જાયો હતો.

અધિકારીઓ ટ્રેનોના સંચાલન માટે નિર્ધારિત સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રક્રિયાને અનુસરવામાં નિષ્ફળ રહ્યા હતા. સાથેજ રેલવેના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, ‘અમે CRS રિપોર્ટ પર કોઈ ખુલાસો કરીશું નહીં. કારણ કે સીબીઆઈ દ્વારા સ્વતંત્ર તપાસ ચાલી રહી છે. આ સુનિશ્ચિત કરવા માટે કરવામાં આવી રહ્યું છે કે રિપોર્ટ અન્ય તપાસને કોઈપણ રીતે પ્રભાવિત ન કરે. અમે બંને અહેવાલોને ધ્યાનમાં લઈશું અને અકસ્માતનું સંપૂર્ણ મૂલ્યાંકન કરીશું અને તમામ સંભવિત પગલાં લઈશું. આ ઘટનાની તપાસ કરી રહેલા સાઉથ ઈસ્ટર્ન સર્કલના સીઆરએસ એએમ ચૌધરીએ જણાવ્યું કે હાલમા રેલવે બોર્ડને પોતાનો અહેવાલ સુપરત કર્યો હતો. બોર્ડના ટોચના અધિકારીઓએ અહેવાલ પર ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો અને ઘણા લોકોએ દાવો કર્યો હતો કે તેઓએ હજી સુધી અહેવાલ વાંચ્યો નથી. એવી પણ ચર્ચા છે કે આવા અહેવાલો ઉચ્ચ અધિકારીઓને મળતા હોય છે. સૂત્રોએ જણાવ્યું હતું કે અધિકારીઓને સુનિશ્ચિત કરવા સૂચના આપવામાં આવી છે કે કોઈ પણ પ્રકારનું લીકેજ ન થાય. નોંધપાત્ર રીતે, ઓડિશાના બાલાસોર જિલ્લામાં ભીષણ ટ્રેન દુર્ઘટનાના થોડા અઠવાડિયા પછી, રેલ્વેએ દક્ષિણ પૂર્વીય રેલવે (SER) ના પાંચ ટોચના અધિકારીઓની બદલી કરી હતી. જેમાં ઓપરેશન, સિગ્નલ સિસ્ટમ અને સિક્યુરિટી માટે જવાબદાર અધિકારીઓ પણ સામેલ છે. આ અકસ્માતમાં 280થી વધુ લોકોના મોત થયા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!