Sunday, April 20, 2025
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeBharuchભરૂચ દહેજ રેલવે લાઈન ઉપર આવેલ દયાદરા સ્થિત ફાટક નંબર 11 બે...

ભરૂચ દહેજ રેલવે લાઈન ઉપર આવેલ દયાદરા સ્થિત ફાટક નંબર 11 બે દિવસ બંધ રહેશે…

Published By:-Bhavika Sasiya

  • વૈકલ્પિક ફાટકનો ઉપયોગ કરવા રેલવે દ્વારા જાહેર નોટિસ અપાઈ છે.

ભરૂચ થી દહેજ જતી વેસ્ટર્ન રેલવે લાઈન ઉપર દયાદરા ગામ ઉપર રેલવે ક્રોસિંગ માટે ફાટક મૂકેલ છે. આ ફાટકનો નંબર 11 છે. આ ફાટક ઉપર નેશનલ હાઇવે 48 નબીપુર થી ભરૂચ જંબુસર સ્ટેટ હાઇવે ને જોડતા માર્ગ ઉપર દયાદરા તરફના છેડે આવેલ છે અને આ માર્ગ પર સતત વાહનો ની અવરજવર રહે છે કારણ કે તે નેશનલ હાઇવે 48ને જોડતો માર્ગ છે.

આ ફાટકનું અગત્યનું સમારકામ કરવાનું હોવાથી રેલવે તંત્ર દ્વારા આ ફાટક ને તારીખ 17 જુલાઈ સોમવારે સવારે 09.00 કલાક થી તારીખ 18 જુલાઈ ને સાંજના 18.00 કલાક સુધી વાહનવ્યવહાર માટે સંપૂર્ણ બંધ કરવામાં આવશે, તો આ રસ્તાના વૈકલ્પિક ઉપયોગ માટે ભરૂચ દહેજ બાયપાસ રોડ ઉપર આવેલ રેલવે ફાટક નંબર 05 નો ઉપયોગ કરી શકાશે. આ અંગે રેલવે તંત્ર દ્વારા દયાદરા ફાટક ઉપર જાહેર જનતા માટે જાહેર નોટિસ પણ મૂકવામાં આવી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!