Sunday, June 8, 2025
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeBharuchભરૂચ સિવિલ હોસ્પિટલ દેશમાં પ્રથમ પેપરલેસ બનશે: ડો. કિરણ પટેલ

ભરૂચ સિવિલ હોસ્પિટલ દેશમાં પ્રથમ પેપરલેસ બનશે: ડો. કિરણ પટેલ

Published by : Anu Shukla

  • ગરીબ હોય કે પૈસાવાળો તમામને દુનિયામાં મળતી સારી આરોગ્ય સેવા અને સુવિધા આપવાનો ધ્યેય
  • ભરૂચ સિવિલ હોસ્પિટલ અને મેડિકલ કોલેજનું સંચાલન કરનાર રુદ્રાક્ષ એકેડમીના કર્તાહર્તાએ મુલાકાત લઈ કર્યું નિરીક્ષણ
  • એક જ વર્ષમાં સિવિલની સેવામાં 400 ટકાનો સુધારો, આજે મહિને ઝીરો સામે 300 થી 400 સર્જરી

ભરૂચ સિવિલ હોસ્પિટલને મેડિકલ કોલેજ હેઠળ વિકસાવી સંચાલન હાથ ધરનાર રુદ્રાક્ષ એકેડમીના ડો. કિરણ પટેલે આજે મુલાકાત લઈ નિરીક્ષણ કર્યું હતું.

ભરૂચ સિવિલ હોસ્પિટલના આધુનિકરણ અને મેડિકલ કોલેજ તેમજ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ હેઠળ વિકસાવવા બ્રાઉન ફિલ્ડ મેડિકલ કોલેજને મંજૂરી અપાઈ હતી. વડોદરાની રુદ્રાક્ષ એકેડમીને 90 વર્ષના ભાડા પેટે સિવિલનું સુકાન સોપાયું હતું.

ડો. કિરણ પટેલે સિવિલ હોસ્પિટલનું સુકાન સંભાળી ડો. કિરણ પટેલ મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિરયુટ શરૂ કર્યું હતું. આજે એક વર્ષ થતા ડો. કિરણ પટેલે ખુદ ભરૂચ આવી સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી. સિવિલમાં અપાતી સેવાઓ, સુવિધાઓનું નિરીક્ષણ કરવા સાથે ડો. કિરણ પટેલે સારવાર લેવા આવતા દર્દીઓ સાથે વાતચીત કરી તેઓના પ્રતિભાવ જાણ્યા હતા.

ડો. કિરણ પટેલે વાતચીતમાં જણાવ્યું હતું કે, એક વર્ષમાં સિવિલના સંચાલન, સેવા, સુવિધા અને સારવારમાં 400 ટકાનો સુધારો થયો છે. પેહલા સિવિલમાં 70 ડિલિવરી થતી હતી આજે 300 થાય છે. ઝીરો સર્જરી સામે આજે મહિને 300 થી 400 સર્જરી થાય છે. આર્થિક સ્થિતિ સારી ન હોય એવા ગરીબથી લઈ રૂપિયાવાળાને પણ દુનિયાના કોઈપણ ખૂણામાં મળતી સારામાં સારી આરોગ્ય સેવા આપવાનો ધ્યેય તેમણે વ્યક્ત કર્યો હતો.

ભરૂચ સિવિલમાં કરોડો રૂપિયા ખર્ચી ઇન્ફ્રાસ્ફક્ચર, ઇકવિપમેન્ટમાં સુધારો કરાઈ રહ્યો છે. એક બે મહિનામાં જ ભરૂચ સિવિલ ભારતની પેહલી પેપરલેસ સિવિલ હોસ્પિટલ બની જશે. જ્યાં 30 સેકેન્ડમાં જ દર્દીઓને લાઈનો લગાવ્યા વગર રજિસ્ટ્રેશન સહિતની કામગીરી હાથ ધરાશે.

હોસ્પિટલ અને મેડિકલ કોલેજમાં દર્દીઓ, તબીબો, વિધાર્થીઓ, સ્ટાફ અને નર્સીસ તમામની ક્ષમતા, સેવાઓ, સુવિધાઓ વધારવા સાથે સવલતો આપવા ઉપર ભાર મુકાઈ રહ્યો છે. અહીં અભ્યાસ કરતા મેડિકલ સ્ટુડન્ટસ પણ વિદેશમાં જાય તો ત્યાં પણ તે કલાસ વન રહે તેવું ફોરેન લેવલનું શિક્ષણ અપાઈ રહ્યું હોવાની અંતે ડો. કિરણ પટેલે કેફિયત વ્યક્ત કરી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!