Published By : Patel Shital
- પોલીસે કરી હુમલાખોરોની ધરપકડ
- અંકલેશ્વર, દહેજ બાદ ભરૂચમાં પણ પરપ્રાંતિયો બની રહ્યાં છે સ્થાનિકો માટે અસામાજિક
- મક્તમપુરમાં ઊંચું ભાડું મેળવવા પરપ્રાંતિયોને ખોલી આપવામાં આવતા થાય છે ધીંગાણું
- ઔદ્યોગિક ગઢ ભરૂચમાં પરપ્રાંતિયોના આતંક વચ્ચે વધતા અપરાધો
- મક્તમપુરમાં પરપ્રાંતિયોએ સ્થાનિક યુવાન ઠપકો આપવા જતા કરી છુટા હાથની મારામારી
- પરપ્રાંતિયો સ્થાનિક યુવતીઓની છેડતી કરવા સાથે વારંવાર વાતાવરણ દોહડાવતા હોવાનો આરોપ
ભરૂચના મકતમપુર વિસ્તારમાં પરપ્રાંતિયોને ખોલી ભાડેથી આપી દેવામાં આવે છે પરંતુ તેમની કોઈ પણ જાતની નોંધણી પણ થતી નથી. ઘણી વખત પરપ્રાંતિયો સ્થાનિક લોકો સાથે ઝઘડો કરતા હોય છે. ત્યારે પરપ્રાંતિયને કોઈ બાબતે ઠપકો આપવા જતા પરપ્રાંતિયોએ એક સંપ થઈ સ્થાનિક યુવાનને ટીપી નાખ્યા હોવાના LIVE વિડિયો સામે આવતા પોલીસે પરપ્રાંતિયોની ધરપકડ કરી હોવાની માહિતી સામે આવી રહી છે.
ભરૂચના નગરપાલિકાના વોર્ડ નંબર 6 માં આવેલા મક્તમપુર વિસ્તારમાં મોટા પાયે પરપ્રાંતિયોને ઊંચું ભાડું મેળવવાની લાલચે ખોલીઓ આપી દેતા હોય છે. પરપ્રાંતિયો પણ મકાન લઈ જેમ યુપી બિહાર અને તેમના દેશમાં રહેતા હોય તેવી રીતે જ અડધા વસ્ત્રો પહેરી ફરતા હોય છે. જેને લઇને સ્થાનિકોએ પણ ઘણી વખત આ બાબતે તેઓને ટોક્યા છે, પરંતુ પરપ્રાંતિયો પણ હવે સ્થાનિકો ઉપર હુમલો કરી રહ્યા છે.
મક્તમપુરના નારાયણ હોસ્પિટલ પાસે જ શોપિંગ બનાવી મકાનની ખોલી પરપ્રાંતિયોને આપી છે. જેમાં એક પરપ્રાંતિય સ્થાનિક પરિવારના એક બાળકને કોઈ બાબતે બોલાચાલી કરી હતી અને સ્થાનિક યુવાનો પરપ્રાંતિયોને કહેવા જતા પરપ્રાંતિયોએ એક સંપ થઈ સ્થાનિક યુવાનને ટીપી નાખ્યો હતો. જેનો વિડિયો સામે આવતા હવે મક્તમપુરમાં પણ તેઓનો આંતક જોવા મળી રહ્યો છે. સમગ્ર વિડિયો પણ સામે આવતા સી ડિવિઝન પોલીસે પણ જે મકાનની ખોલી પાસે ધીંગાણું થયો હતો તેના વિડિયોના આધારે પરપ્રાંતિયોની અટકાયત કરી હતી અને તેમની સામે કાયદાકીય કાર્યવાહી કરી હોવાની માહિતી સામે આવી રહી છે.
અત્રે ઉલ્લેખનીય બાબત એ પણ છે કે મક્તમપુરમાં પરપ્રાંતિયોને ખોલી ભાડેથી આપનાર માલિકો શું પરપ્રાંતિયોના ડોક્યુમેન્ટ કે જે તે સરકારી કચેરીમાં ભાડા કરારના આધારે નોંધ કરાવી છે ખરી, કારણકે ભરૂચ જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી ક્રાઈમ રેટ વધી રહ્યો છે. ત્યારે ભરૂચમાં પરપ્રાંતિયોને આશરો આપતા પહેલા તેની સંપૂર્ણ માહિતી પણ જે તે કચેરી કે પોલીસ વિભાગમાં આપવાની હોય છે પરંતુ ઊંચું ભાડું કમાવાની લાલચે પરપ્રાંતિયોને ઓરડીઓ આપી દેવામાં આવે છે. અને જેનું ન્યુસન્સ વધી જવાથી હવે સ્થાનિકોએ ભારે હાલાકી ભોગવી પડી રહી છે.
અગાઉ દહેજ અને સમયાંતરે અંકલેશ્વરમાં પરપ્રાંતિયોની વધતી વસ્તીના કારણે ગુન્હાખોરી તેમજ અસામાજિક પ્રવૃત્તિનું પ્રમાણ વધી રહ્યું છે. ભરૂચમાં પણ પોલીસ અંકલેશ્વરની જેમ પરપ્રાંતિય વિસ્તારમાં કોમ્બિન્ગ હાથ ધરે તેમ સ્થાનિકો ઇચ્છી રહ્યાં છે.