Published By : Patel Shital
- માર્ગ ઉપર બ્લોક ઊંચા લગાવવામાં આવતા પાણી બુદ્ધદેવ માર્કેટમાં ફરી વળશે તેવા આક્ષેપ…
ભરૂચના પાંચબત્તીથી શક્તિનાથ અન્ડર બ્રીજ સુધીની પેવર બ્લોક લગાવવાની કામગીરીને લઇ બુદ્ધદેવ માર્કેટના વેપારીઓએ વિરોધ નોંધાવી કામગીરી અટકાવતા નગરપાલિકા તંત્ર દોડતું થયું હતું.

ભરૂચના અતિ વ્યસ્ત એવા સેવાશ્રમ રોડ ઉપર ચોમાસાની સિઝનમાં જળબંબાકારની પરિસ્થિતિનું નિર્માણ થાય છે જેને પગલે વાહન ચાલકો અને રાહદારીઓએ વરસાદી પાણીમાંથી પસાર થવાને કારણે અનેક તકલીફો વેઠવી પડી હતી જેને ધ્યાનમાં રાખી પાલિકા દ્વારા લાખોના ખર્ચે પેવરબ્લોકવાળા માર્ગની કામગીરી શરૂ કરવામાં આવી છે. પરંતુ કામગીરી શરૂ થતા જ વિરોધ જોવા મળી રહ્યો છે. પેવરબ્લોક ઊંચા લગાવવામાં આવતા જ બુદ્ધદેવ માર્કેટના વેપારીઓ વિરોધ નોંધાવી આ કામગીરીને આજરોજ અટકાવી દીધી હતી અને માર્ગ ઉંચો રહેશે તો વરસાદી પાણી માર્કેટમાં ભરાવો થવાની સ્થિતિનું નિર્માણ થવાના આક્ષેપ કર્યા છે. ત્યારે પાલિકા તંત્ર દ્વારા આ કામગીરી યોગ્ય કામગીરી કરવામાં આવે તે અત્યંત જરૂરી છે.
