Sunday, June 8, 2025
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeBharuchભરૂચની ઝાડેશ્વર ચોકડી પાસેથી ગતરોજ રાતે બે તલવાર ઝડપી

ભરૂચની ઝાડેશ્વર ચોકડી પાસેથી ગતરોજ રાતે બે તલવાર ઝડપી

-સી ડીવીઝન પોલીસે એક ઈસમને ઝડપી પાડી પાડ્યો

ભરૂચમાં નવરાત્રી મહોત્સવમાં સી ડીવીઝન પોલીસે ગતરાતે ઝાડેશ્વર ચોકડી પાસેથી અઢી ફૂટ લાંબી બે તલવારો સાથે એક ઈસમને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.

ભરૂચ જીલ્લામાં હાલ નવરાત્રી ઉત્સવ ચાલી રહ્યો છે નવરાત્રી પર્વને લઇ પોલીસ વિભાગ દ્વારા સજ્જ હોવાની વાતો વચ્ચે ભરૂચ જીલ્લામાં દારૂબંધી ફક્ત કાગળ ઉપર જ હોવાનું જણાઈ રહ્યું છે ગત રોજ રાતે ભરૂચ સી ડીવીઝન પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો તે દરમિયાન ઝાડેશ્વર ચોકડી પાસે નશાની હાલતમાં એક ઇસમ જણાઈ આવ્યો હતો જેની પોલીસે તપાસ કરતા તેના પાસે કાપડમાં વિતાળેલ બે જેટલી અઢી ફૂટ લાંબી જૂની તલવાર મળી આવી હતી.

પોલીસે મૂળ વેસ્ટ બંગાળ અને હાલ ઝાડેશ્વર ગામની કન્યા શાળા પાછળ ભાડાના મકાનમાં રહેતો અમર સેમલ સરદારને ઝડપી પાડી તેના વિરુદ્ધ જીલ્લા મેજીસ્ટ્રેટના જાહેરનામના ભંગની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે જીલ્લામાં મોટાપાયે નવરાત્રી મહોત્સવ ચાલી રહ્યો છે ત્યારે નશીલા પ્રદાર્થનું સેવન કરી જાહેરમાં હથિયારો સાથે ફરતા તત્વો સામે પોલીસ વધુ કડક વલણ અપનાવે તે અત્યંત જરૂરી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!