Published by : Vanshika Gor
આજરોજ પુષ્પમ ગ્રુપ તરફથી આ વર્ષ માટે નો છેલ્લો એટલે કે 2022-23 નો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ ઝાડેશ્વર સ્થિત કુમાર છાત્રલયમાં યોજાયો હતો.આ કાર્યક્રમ માં પુષ્પમ ગૃપના યતિનભાઇ, હેમંતભાઇ, રમેશભાઇ જાદવ, દિપકભાઇ શાહ, રમેશભાઇ જાદવ,હરિશભાઇ વ્યાસ તથા ચંદુભાઇ ચૌહાણ અને અન્ય મિત્રો ઉપસ્થિત રહ્યા હતા.
આ કાર્યક્રમ માં અભ્યાસ કરતાં 50 જેટલા વિદ્યાર્થીઓ ને ફૂડપેકેટ આપવામાં આવ્યા હતા. ફૂડ પેકેટ માં, પ્રત્યેક વિદ્યાર્થીને 0.100 ગ્રામ નાની ભાખરવડી, 0.100 ગ્રામ લીલો ચેવડો અને 0.100 ગ્રામ બુંદીના લાડુ આપવામાં આવ્યા . બાળકોએ વાંજીત્રો સાથે સુંદર પ્રાર્થના કરી હતી.

પુષ્પમ ગૃપ નો એપ્રિલ’ 2019માં
વડીલો ના ઘર ખાતે, શરૂઆત કરવામાં આવી હતી. નર્મદા ચેનલના નરેશભાઇ ઠક્કર તથા સેવાયજ્ઞ સમિતિના રાકેશભાઇ ભટ્ટ ના હસ્તે દિપ પ્રગટાવી,તેમની શુભેચ્છાઓ તથા શુભાશિષ થી શરુ કરવામાં આવ્યુ હતું.

દર મહિને ગૃપ ધ્વારા એક કાર્યક્રમ અચૂક કરવામાં આવે છે, જેમાં શહેરની વિવિધ સંસ્થાઓમાં બાળકોને ફરસાણ તથા મીઠાઇ આપવામાં આવે છે. વારા ફરતી, જુદી જુદી જગ્યાઓએ, મહિનામાં એક વાર આવો કાર્યક્રમ યોજાઈ છે. ગરીબ વર્ગ ને અનાજ, મધ્યમ વર્ગ ના ગરીબ લોકોને તથા ગરીબ વિધવાઓને અનાજ આપવામાં આવે છે. ગરીબ વર્ગ ને દર વર્ષે બ્લેન્કેટ (અંદાજે 200/250નંગ) આપવામાં આવે છે. આ ગ્રુપ કેટલીય સંસ્થાઓમાં સ્ટેશનરી- લોંગ નોટબુક્સ-ચોપડા, પેન્સિલ, પેન્સિલ બોક્સ, દફતર જેવી વસ્તુઓ આપવા પ્રયત્ન કરે છે. યોગ્ય વ્યક્તિઓ ને વસ્તુ પહોંચી શકે તેની તકેદારી રાખે છે, અને તે માટે સેવાયજ્ઞ સમિતિ તથા રાકેશભાઇ ભટ્ટ નો સહયોગ મળે છે.