ભારતીય જનતા પાર્ટી શિસ્તને વરેલી ઍક રાજકીય પાર્ટી હોવાની છાપ લોકોના જન માનસ પર છે તેથી જ ઉમેદવારો અંગે સેન્સ લેવાની પ્રક્રિયા હોય કે ઉમેદવાર બદલવાની બાબત હોય આ બાબતો ભાજપમાં શક્ય નથી. પરંતુ હવે ભાજપમાં પણ કોઇ ઉમેદવારની પસંદગી અંગે ફરી સેન્સ લેવામાં આવી હોય તેવી ધટના બની હતી. જેમકે વડોદરા જિલ્લાની વાઘોડિયા બેઠકના ઉમેદવાર ની પસંદગી માટે અચાનક કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાની હાજરીમાં ફરી સેન્સ લેવામાં આવી હતી. ભાજપમાં આવું ભાગ્યે જ બનતું હોય છે.
ભાજપ નાં કેન્દ્રીય મંત્રી ની હાજરીમાં વાઘોડિયા બેઠક અંગે ફરી સેન્સ લેવાયો..
RELATED ARTICLES