Tuesday, June 10, 2025
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeNews UpdateNation Updateભારતના ઈતિહાસનો કાળો દિવસ, આતંકી હુમલામાં ભારતે ગુમાવ્યા 40 જાંબાઝ જવાનો…

ભારતના ઈતિહાસનો કાળો દિવસ, આતંકી હુમલામાં ભારતે ગુમાવ્યા 40 જાંબાઝ જવાનો…

Published by : Vanshika Gor

સમગ્ર દુનિયા 14 ફેબ્રુઆરીના રોજ પ્રેમનું પર્વ, વેલેન્ટાઈન ડે ઉજવતો હોય છે પરંતુ ભારત માટે આ કાળો દિવસ હતો. ભારતના જન્નત ગણાતા J&Kના પુલવામામાં થયેલ હુમલાને કારણે આજનો દિવસ ભારત માટે ‘બ્લેક ડે’ તરીકે ઓળખાય છે.

વિશ્વએ 14 ફેબ્રુઆરીના રોજ વેલેન્ટાઈન ડે ઉજવ્યો હોવા છતાં, પુલવામા હુમલાને કારણે આજનો દિવસ ભારત માટે ‘બ્લેક ડે’ તરીકે ઓળખાય છે.

પુલવામા હુમલો 14 ફેબ્રુઆરી, 2019 ના રોજ થયો હતો, જે આજે આતંકવાદી હુમલાની ચોથી વરસી છે. ચાર વર્ષ પહેલા આ દિવસે, આપણા ટીવી સ્ક્રીન પર 40 CRPF અધિકારીઓની શહીદીના સમાચારે સમગ્ર દેશના હ્રદયને કંપાવી નાંખ્યુ હતુ.

વર્ષ 2019માં, આતંકવાદીઓ દ્વારા સુરક્ષા કર્મચારીઓ પરના ઘાતકી હુમલો કરવામાં આવ્યો હતો. જમ્મુ અને કાશ્મીરના પુલવામા જિલ્લામાં આતંકવાદીઓએ CRPF (સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ)ના જવાનોની બસને વિસ્ફોટક ભરેલા વાહનથી ટક્કર મારી હતી. આ હુમલામાં 40 જવાનો શહીદ થયા હતા. આ હુમલો કેટલો ઘાતક હતો, તેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે આ વિસ્ફોટનો અવાજ 10 કિલોમીટરની ત્રિજ્યા સુધી સંભળાયો હતો. આ હુમલાના સમાચાર સામે આવતા જ દરેક ભારતીયની આંખ નમ થઇ ગઇ હતી.

આ હુમલો પુલવામા જિલ્લાના અવંતીપોરા પાસેના લેથપોરા વિસ્તારમાં થયો હતો. પાકિસ્તાન સ્થિત ઈસ્લામિક આતંકવાદી જૂથ જૈશ-એ-મોહમ્મદે હુમલાની જવાબદારી લીધી છે. પુલવામા હુમલાના 12 દિવસમાં ભારતે પણ બદલો લઈ લીધો. વાયુસેનાએ પાકિસ્તાનની અંદર બાલાકોટમાં આતંકીઓના ઠેકાણા પર સર્જિકલ સ્ટ્રાઈક કરી હતી. આ હુમલામાં જૈશના લગભગ 300 આતંકવાદીઓ માર્યા ગયા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!