Published by : Rana Kajal
- સેલર અને બાયર્સના ખાતામાં વેપાર સમાપ્ત થયાના 24 કલાકમાં પૈસા પ્રાપ્ત કરવાની મંજૂરી
ભારતીય શેરમાર્કેટમાં બે દાયકા પછી એક નવી સેટલમેન્ટ સિસ્ટમ 27 જાન્યુઆરીથી લાગુ થવા જઈ રહી છે. આ વ્યવસ્થા લાગુ થયા પછી સેટલમેન્ટની મુદ્દતમાં ઘટાડો થઈ જશે. ભારતીય ઈક્વિટી માર્કેટ હવે સંપૂર્ણપણે એક નાનકડી ટ્રાન્સફર સાઈકલમાં શિફ્ટ થશે જેને T+1 સેટલમેન્ટ કહેવાય છે. આ નિયમ લાગુ થયા બાદ સેલર અને બાયર્સના ખાતામાં વેપાર સમાપ્ત થયાના 24 કલાકમાં પૈસા પ્રાપ્ત કરવાની મંજૂરી મળશે.સરળ શબ્દોમાં કહીએ તો જો તમે તમારા પોર્ટફોલિયોમાં સામેલ શેરને વેચો છો તો 24 કલાકમાં તેના પૈસા તમારા ખાતામાં ક્રેડિટ થઈ જશે. તમામ લાર્જ-કેપ અને બ્લૂ-ચીપ કંપનીઓ 27 જાન્યુઆરીએ T+1 સિસ્ટમ પર સ્વિચ કરી જશે. હાલમાં બજારમાં T+2 સિસ્ટમ લાગુ છે. તેના લીધે ખાતામાં પૈસા પહોંચવામાં 48 કલાકનો સમય લાગે છે.પરતું હવે 24 કલાકમાં પૈસા પ્રાપ્ત કરવાની મંજૂરી મળશે.