Sunday, June 8, 2025
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeBusinessભારતીય શેરમાર્કેટમાં 27 જાન્યુઆરીથી રોકાણકારો માટે નવી સેટલમેન્ટ સિસ્ટમ થશે લાગુ….

ભારતીય શેરમાર્કેટમાં 27 જાન્યુઆરીથી રોકાણકારો માટે નવી સેટલમેન્ટ સિસ્ટમ થશે લાગુ….

Published by : Rana Kajal

  • સેલર અને બાયર્સના ખાતામાં વેપાર સમાપ્ત થયાના 24 કલાકમાં પૈસા પ્રાપ્ત કરવાની મંજૂરી

ભારતીય શેરમાર્કેટમાં  બે દાયકા પછી એક નવી સેટલમેન્ટ સિસ્ટમ 27 જાન્યુઆરીથી લાગુ થવા જઈ રહી છે. આ વ્યવસ્થા લાગુ થયા પછી સેટલમેન્ટની મુદ્દતમાં ઘટાડો થઈ જશે. ભારતીય ઈક્વિટી માર્કેટ હવે સંપૂર્ણપણે એક નાનકડી ટ્રાન્સફર સાઈકલમાં શિફ્ટ થશે જેને T+1 સેટલમેન્ટ કહેવાય છે. આ નિયમ લાગુ થયા બાદ સેલર અને બાયર્સના ખાતામાં વેપાર સમાપ્ત થયાના 24 કલાકમાં પૈસા પ્રાપ્ત કરવાની મંજૂરી મળશે.સરળ શબ્દોમાં કહીએ તો જો તમે તમારા પોર્ટફોલિયોમાં સામેલ શેરને વેચો છો તો 24 કલાકમાં તેના પૈસા તમારા ખાતામાં ક્રેડિટ થઈ જશે. તમામ લાર્જ-કેપ અને બ્લૂ-ચીપ કંપનીઓ 27 જાન્યુઆરીએ T+1 સિસ્ટમ પર સ્વિચ કરી જશે.  હાલમાં બજારમાં T+2 સિસ્ટમ લાગુ છે. તેના લીધે ખાતામાં પૈસા પહોંચવામાં 48 કલાકનો સમય લાગે છે.પરતું હવે 24 કલાકમાં પૈસા પ્રાપ્ત કરવાની મંજૂરી મળશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!