ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની પ્રથમ ટેસ્ટ મેચમાં ભારત જીત્યુ છે. 513 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી બાંગ્લાદેશની ટીમ પાંચમા દિવસે 324 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારતે બાંગ્લાદેશને 188 રનથી હરાવ્યું. અક્ષર પટેલે 4 વિકેટ લીધી હતી. કુલદીપ યાદવે 3, અશ્વિન, ઉમેશ યાદવ અને સિરાજને એક-એક વિકેટ મળી હતી.
પાંચમા દિવસની રમતમાં ભારતને 4 વિકેટની જરૂર હતી જ્યારે બાંગ્લાદેશને 241 રનની જરૂર હતી. શાકિબે સંઘર્ષ કર્યો અને 84 રનની ઇનિંગ રમી. તે કુલદીપ યાદવનો શિકાર બન્યો હતો. આ પછી કોઈ બેટ્સમેન લાંબો સમય ટકી શક્યો નહીં અને ભારતે 188 રનથી મેચ જીતી લીધી.