Sunday, September 14, 2025
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeDevotionalમાત્ર સાગી લાકડાથી બનેલ થાઇલેન્ડનુ મંદીર આકર્ષણનુ કેન્દ્ર બન્યું...

માત્ર સાગી લાકડાથી બનેલ થાઇલેન્ડનુ મંદીર આકર્ષણનુ કેન્દ્ર બન્યું…

દેશ વિદેશનાં પ્રખ્યાત મંદિરોમાં થાઇલેન્ડ દેશમાં આવેલ હિંદુ મંદીરનો પણ સમાવેશ કરવામાં આવી રહયો છે. થાઇલેન્ડનુ આ મંદીર સંપૂર્ણ સાગી લાકડાં વડે તૈયાર કરવામાં આવ્યું છે. મંદીરનાં શિખરની લંબાઈ 105 મીટર છૅ સાથે જ મંદીરમાં સ્થાપિત બ્રહ્મા, વિષ્ણુ અને મહેશની નયનરમ્ય અને આકર્ષક પ્રતિમાઓ પણ સાગના લાકડાં વડે તૈયાર કરવામાં આવેલ છે.થાઇલેન્ડનુ આ સંપૂર્ણ સાગી લાકડાં વડે નિર્મિત મંદીર આસ્થાનું કેંદ્ર પણ સાબીત થઈ રહ્યું છે.

3200 ચોરસ મીટરમાં ફેલાયેલા આ મંદિરમાં ચાર ગોપુરમ છે જે બૌદ્ધ ધર્મ, હિંદુ ધર્મ, ચીન અને થાઈલેન્ડની પૌરાણિક કથાઓથી શણગારેલા છે. દિવાલો પર કોતરણી દ્વારા કોતરવામાં આવેલા સુંદર શિલ્પોને સ્થાપિત કરવા કે તૈયાર કરવા માટે નખનો પણ ઉપયોગ કરવામાં આવ્યો નથી. તેને બનાવવામાં ખાસ પ્રકારની આર્કિટેક્ચરલ કળાનો ઉપયોગ કરવામાં આવતો હોવાને કારણે આ શક્ય બન્યું છે. લાકડાની દિવાલો પર શિલ્પો કોતરવા માટે હથોડા અને છીણીનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

આ મંદિર રોશની માટે સંપૂર્ણપણે કુદરતી પ્રકાશ પર આધારિત છે. મંદિરની ચારેય દિશામાં મોટા દરવાજા બનાવવામાં આવ્યા છે, જેથી સૂર્યપ્રકાશ અંદર આવી શકે. મંદિરની અંદર કૃત્રિમ લાઇટિંગની ગેરહાજરીને કારણે, સાંજના સમયે અંદર થોડું અંધારું રહે છે, જે લોકોને રાહત આપે છે. સાંજે સમુદ્રના મોજાના અવાજ સાથે અહીંથી સૂર્યાસ્ત જોવાનું ખૂબ જ સુંદર છે. મંદિરમાં વિશેષ અવસરો પર વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!