Sunday, June 8, 2025
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeNews UpdateNation Updateયુપીના બારાબંકીમાં હેરાન કરનારી એક ઘટના એકાઉન્ટન્ટે જાતે જ આત્મ વિલોપન કરવાનો...

યુપીના બારાબંકીમાં હેરાન કરનારી એક ઘટના એકાઉન્ટન્ટે જાતે જ આત્મ વિલોપન કરવાનો કર્યો પ્રયાસ..

યુપીમાં બારાબંકી વિસ્તારમાં શનિવારે એકાઉન્ટન્ટ સુજિત ઉર્ફે લાલ ડીંગા સિંહે પોતાના પર પેટ્રોલ છાંટીને દીવાસળી ચાંપી હતી. એકાએક આ ઘટનાથી અફરા-તફરી મચી ગઈ હતી. આ ઘટનાથી ભાગદોડ જેવી સ્થિતિ સર્જાઈ હતી. આસપાસના લોકોએ ભારે જહેમતથી સળગતા મુંશીને શાલ ઓઢાડીને આગને બુઝાવી હતી.
બાદમાં એકાઉન્ટન્ટને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. તેની હાલત ગંભીર જણાતા તેને લખનઉ રિફર કરવામાં આવ્યો હતો. આ ઘટના મામલતદાર અને કલેક્ટરની હાજરીમાં જ બની હતી. જેમાં એકાઉન્ટન્ટે મામલતદાર પર તેને હેરાન કરવાનો આરોપ લગાવ્યા છે. આ ઘટના હૈદરગઢ વિસ્તારની છે.

લોનીકટરા પોલીસ મથકના ફિરોઝાબાદ ગામનો રહેવાસી સુજીત ચૌબાસી વિસ્તારના ધારાશાસ્ત્રીઓ સાથે એકાઉન્ટન્ટ તરીકે કામ કરે છે. સુજીત તેમની સાથે રહીને એકાઉન્ટન્ટનું કામ સંભાળી રહ્યો છે. શનિવારે બપોરે એક વાગ્યે સીડીઓ એકતા સિંઘની હાજરીમાં હૈદરગઢમાં સમાધાન દિવસ ચાલી રહ્યો હતો. કલેક્ટર, મામલતદાર સહિત તમામ વિભાગોના અધિકારીઓ જનતાની સમસ્યા સાંભળી રહ્યા હતા.

આ દરમિયાન એકા એક સુજીત ઉર્ફે ડીંગા સિંહ ત્યાં આવી ચઢ્યો હતો. તેણે મામલતદાર ઓફિસની બહાર પોતાના પર પેટ્રોલ છાંટી દિવાસળી ચાંપી હતી. જ્યાં સુધી આસપાસના લોકો કંઈ સમજે, ત્યાં સુધીમાં તો તેણે પોતાના પર દિવાસળી ચાંપી દીધી હતી. આગ લાગ્યા બાદ જ્યાં સમાધાન દિવસ ચાલી રહ્યા હતો, ત્યાં જઈ ચઢ્યો હતો. આગમાં સળગતા સુજીતને જોઈને ત્યાં ભાગદોડ મચી ગઈ હતી. અધિકારીઓ પણ ગભરાઈ ગયા હતા. લોકો સમજી જ ન શક્યા કે શું થયું?તે લગભગ 60-70% જેટલો દાઝી ગયો હતો. આ તરફ ઘટનાથી ગભરાયેલા અધિકારીઓ પણ સમાધાન દિવસમાંથી જતા રહ્યા હતા. પીડિત મુંશીની પત્ની ઈન્દુ સિંહે આ મામલે કોતવાલી હૈદરગઢના ઈન્ચાર્જને લેખિતમાં ફરકિયાદ કરી છે.

પત્નીએ કહ્યું- તેમને હેરાન કરવામાં આવી રહ્યા હતા
પીડિત એકાઉન્ટન્ટની પત્નીએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, 4 દિવસ પહેલા એક ફાઈલમાં રિપોર્ટ બાબતે મુંશીએ બ્લોક પ્રમુખ પ્રતિનિધિ રામદેવ સિંહ સાથે ફોન પર વાતચીત કરી હતી. જેથી તેમણે નારાજ થતાં ફોન પર જ ધમકી આપવા લાગ્યા હતા. સાથે જ અપશબ્દો સંભળાવતા હૈદરગઢના મામલતદાર શશિ કુમાર ત્રિપાઠીને પણ ફરિયાદ કરી હતી.

એડીએમે કહ્યું- તપાસ કરીને કાર્યવાહી કરવામાં આવશે
અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ રાકેશકુમાર સિંહે જણાવ્યું હતુ કે સુજીતસિંહે આત્મવિલોપન કરવાનો પ્રયાસ કર્યો છે. તેમને લખનઉ રિફર કરવામાં આવ્યા છે. સાથે જ મામલતદાર અને અધિકારીઓની સામેના આરોપો બાબતે તપાસ કરવામાં આવી રહી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!