- વેક્સીનેશન સેન્ટર પર લોકોને વિનામૂલ્યે પ્રિકોશન ડોઝ અપાશે
ચીનમાં કોરોનાના કેસ સામે આવ્યા બાદ દેશોમાં તંત્ર સતર્ક બન્યું છે.ત્યારે ગુજરાતનું આરોગ્ય તંત્ર પણ આ મામલે સાવચેતીના પગલા ભરી રહ્યું છે. કોરોનાની ચિંતા વચ્ચે આજથી રાજ્યમાં ફરી વેક્સિનેશન ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. રાજકોટને 6500 ડોઝની ફાળવણી કરવામાં આવી છે. સુરતના 61 કેન્દ્ર પર પ્રિકોશન ડોઝ મૂકવામાં આવશે. સુરત શહેરને 20000 ડોઝ ફાળવવામાં આવ્યા છે. સરકારે પ્રિકોશન ડોઝ ફ્રી કર્યો છે. રાજ્યમાં લોકોએ પ્રથમ ડોઝ અને બીજા ડોઝ લઇ લીધા બાદ આજથી લોકોને પ્રિકોશન ડોઝ મૂકાશે. લોકોએ આગળ આવી પ્રિકોશન ડોઝ મૂકાવે તેની તંત્રએ અપીલ કરી છે. ડિસેમ્બર માસમાં કોરોના વેક્સીનના ડોઝ પૂર્ણ થઇ ગયા હતા. રાજ્યમાં હાલ કોરોનાના કેસ ઓછા છે. પરંતુ તંત્ર દ્વારા સાવચેતીના ભાગરૂપે રાજ્યમાં ફરી વેક્સિનેશન ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. લોકો નજીકના આરોગ્ય કેન્દ્રો ઉપર વિનામૂલ્યે પ્રિકોશન ડોઝ લઇ શકશે.