- ચાંદીપુરા વાયરસથી અત્યાર સુધીમાં 56 દર્દીના મૃત્યુ થયા
Published By : Aarti Machhi
ચાંદીપુરા વાયરસે ગુજરાતમાં હાહાકાર મચાવ્યો છે. ગુજરાત, રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં લોકો આ વાયરસથી સંક્રમિત થયા હોવાના અહેવાલો છે. જો કે અન્ય બે રાજ્યો કરતા ગુજરાતની હાલત વધુ ખરાબ છે. રાજ્યમાં હાલ ચાંદીપુરાના 51 કેસ પોઝિટિવ કેસ નોંધાયેલા છે. તો ચાંદીપુરા વાયરસથી અત્યાર સુધીમાં 56 દર્દીના મૃત્યુ થયા છે. અત્યાર સુધી ચાંદીપુરા વાયરસના 137 શંકાસ્પદ કેસને પગલે રાજ્યમાં 6 લાખથી વધુ ઘરોમાં મેલેથીયોન પાવડરથી ડસ્ટીગ કરવામાં આવ્યું છે.
ચાંદીપુરા વાયરસના લક્ષણો અને ઉત્પત્તિ
ચાંદીપુરા વાયરસના લક્ષણો ફલૂ અને તીવ્ર એન્સેફાલીટીસ જેવા જ છે. જેમાં ખૂબ તાવ, માથાનો દુખાવો અને મગજમાં સોજો આવે છે. આ વાયરસનો ચેપ ચોમાસા દરમિયાન વધુ સામાન્ય છે. તે પણ ભારતના પશ્ચિમ, દક્ષિણ અને મધ્ય ભાગોમાં. આ વાયરસ પ્રથમ વખત 1965માં મહારાષ્ટ્રના એક ગામમાં જોવા મળ્યો હતો. ચોમાસા દરમિયાન માટીની માખી એટલે કે સેન્ડ ફ્લાયની સંખ્યામાં નોંધપાત્ર વધારો થાય છે. જે આ વાયરસના મુખ્ય વાહક ગણાય છે. આ વાયરસ મોટે ભાગે 15 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને અસર કરે છે. જો કે, તે પુખ્ત વયના લોકોને પણ તેનો શિકાર બનાવી શકે છે, પરંતુ બાળકોને વધુ જોખમ છે.
ચાંદીપુરા વાયરસ સામે કેવી રીતે રક્ષણ મેળવવું ?
ચાંદીપુરા વાયરસ સામે રક્ષણ આપવા માટે હજુ સુધી કોઈ રસી કે એન્ટીવાયરસની શોધ થઈ નથી. તેથી, આને રોકવાનો સૌથી અસરકારક માર્ગ એ છે કે સેન્ડ ફ્લાય, માખીઓ અને મચ્છરોને પ્રજનન કરતા અટકાવવું. આ માટે, આસપાસની સફાઈ અને ગંદકીને નિયંત્રિત કરવું જરૂરી છે. સેન્ડફ્લાયના સંવર્ધનને રોકવા માટે, નજીકમાં પાણી એકઠું થવા ન દેવું, કચરો એકઠો થવા ન દેવો, ખુલ્લામાં શૌચ કે શૌચ ન કરવા, ડસ્ટબીન ઢાંકીને રાખવા અને માખીઓ ઘરમાં પ્રવેશતી અટકાવવા ફ્લાય પેપરનો ઉપયોગ કરવો. આ ઉપરાંત, મચ્છર અને સેન્ડફ્લાયના કરડવાથી બચવા માટે, મચ્છરદાનીનો ઉપયોગ કરો, સાંજે ઘરની બારી-બારણા બંધ કરો, આખી બાંયના કપડાં પહેરો અને મચ્છર ભગાડનારનો ઉપયોગ કરવો જોઈએ.