Published By : Patel Shital
- રાજસ્થાનમાં ક્રેશ બાદ તમામ મિગ-21 ના ઉડ્ડયન રદ્દ કર્યા…
ભારતીય વાયુસેનાએ મહત્વનો નિર્ણય લઈ તમામ મિગ – 21 ના ઉડ્ડયન રદ્દ કર્યા હતા.
આ બાબતે મળતી માહિતી અનુસાર મે માસના શરૂઆતના દિવસોમાં મિગ -21 વિમાન ક્રેશ થયું હતું. આ અકસ્માતના કારણોની તપાસ ચાલી રહી છે. ત્યાં સુઘી મિગ -21 ફાઇટર જેટ વિમાનોની તમામ ઉડાનો રદ્દ કરવામાં આવી છે. જો કે આ ફાઈટર જેટ વિમાનો પાછલા પાંચ દાયકાઓથી ભારતીય વાયુ સેનામાં સામેલ રહ્યા છે. ધીમે ધીમે તેમને વાયુસેનાના વિમાન કાફલામાંથી બહાર કાઢવામાં આવી રહ્યાં છે. હાલ માત્ર 3 મિગ -21 વિમાનો વાયુ સેનામાં સામેલ છે. જેમને વર્ષ 2025 ની શરૂઆત સુધીમાં વાયુસેનામાંથી હટાવી લેવામાં આવશે.