Published by : Anu Shukla
ભરૂચ પાલિકા દ્વારા કડક વેરા વસુલતના ભાગરૂપે વધુ 10 પાણીના જોડાણો કાપવામાં આવતા બકીદારોમાં ફફડાટ ફેલાઈ ગયો છે.
ભરૂચ શહેરમાં માર્ચ એન્ડિંગને લઈ નગર પાલિકા દ્વારા બાકી મિલ્કતવેરા ધારકો સામે વસુલાતની કાર્યવાહી તેજ બનાવાય છે. વારંવાર નોટિસો પાઠવવા છતાં વેરો નહિ ભરનાર સામે પાણી જોડાણો કાપવા તેમજ મિલકત સીલ કરવાની કાર્યવાહી શરૂ કરાઇ છે. રવિવારે ભરૂચ નગર પાલિકાના વોર્ડ નંબર 6 માં સઘન વેરા વસૂલાતના ભાગરૂપે 10 જેટલા પાણીના કનેક્શન કાપી નખાયા હતા. હવે પછીના દિવસોમાં જે કોઈના પણ વેરા બાકી હશે. તેઓની પાણી તેમજ અન્ય સેવાઓ પણ બંધ કરવામાં આવશે. જેથી શહેરીજનોને તાત્કાલિક પોતાના બાકી મિલકત વેરા ભરવા માટે પાલિકાએ તાકીદ કરી છે.