Sunday, June 8, 2025
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeBharuchculturalસંસારની મોહમાયા માથી મુક્ત બનાવવાની યોગગુરૂ બાબા રામદેવની પહેલ...બાબા રામદેવનો મોટો નિર્ણય,...

સંસારની મોહમાયા માથી મુક્ત બનાવવાની યોગગુરૂ બાબા રામદેવની પહેલ…બાબા રામદેવનો મોટો નિર્ણય, રામ નવમી પર 100 યુવક-યુવતીને બનાવશે સંન્યાસી

Published By : Parul Patel

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથ હાજર રહેશે. દેશ વિદેશમાં આર્યુવેદિક પ્રોડક્ટને પ્રસિધ્ધિ આપનાર યોગ ગુરૂ બાબા રામદેવ હવે 100જેટલા યુવાનોને સન્યાસ આપી સંસારની મોહમાયા થી દુર કરશે.

પતંજલિ યોગપીઠ

યોગ ગુરુ રામદેવ રામ નવમીના દિવસે 100 લોકોને સન્યાસ દીક્ષા આપશે. આ માટે ચૈત્ર નવરાત્રી નિમિત્તે બુધવારે પતંજલિ યોગ પીઠ ખાતે ભવ્ય સન્યાસ દીક્ષાનો કાર્યક્રમ યોજવામાં આવશે, જેમાં 40 મહિલાઓ અને 60 પુરૂષો રામ નવમી પર સ્વામી રામદેવ પાસેથી સન્યાસ દીક્ષા ગ્રહણ કરશે. આ સાથે સ્વામી રામદેવના નજીકના આચાર્ય બાલકૃષ્ણ દ્વારા 500 જેટલી પ્રબુદ્ધ મહિલાઓ અને પુરુષોને બાલકૃષ્ણ બ્રહ્મચર્યની દીક્ષા પણ આપવામાં આવશે.

આ ભવ્ય કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથ હાજર રહેશે. યોગ ગુરૂ રામદેવે જણાવ્યું હતું કે રામનવમીના દિવસે ચાર વેદોના મહાપરાયણ યજ્ઞની પૂર્ણાહુતિ સાથે રામરાજ્યની પ્રતિષ્ઠા, હિંદુ રાષ્ટ્રના ગૌરવ અને સનાતન ધર્મને યુગધર્મ અને વિશ્વધર્મ તરીકે સ્થાપિત કરવા માટે આ નવા સંન્યાસીઓ આપણા પૂર્વજો ઋષિ-મુનિઓના ઉપદેશોનું પાલન કરશે. સંન્યાસ પરંપરામાં દીક્ષા લેશે. તેમણે કહ્યું કે, ‘આ વૈરાગ્યવાન વિદ્વાનો અને વિદ્વાન ભાઈઓ અને બહેનો, અષ્ટાધ્યાયી, વ્યાકરણ, વેદ, વેદાંગ, ઉપનિષદમાં નિપુણતા પ્રાપ્ત કરીને યોગધર્મ, ઋષિધર્મ, વેદધર્મ, સનાતન ધર્મની વૈશ્વિક પ્રતિષ્ઠા માટે નિર્ધારિત થશે. આનાથી ભારતીય સનાતન સંસ્કૃતિને બચાવવાના અભિયાનને ઉર્જા મળશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!