Publishewd By:-Bhavika Sasiya
- હાલમાંજ જાહેર થયા 3 વર્ષનાં આંકડા….ગુજરાત રાજયના ચાર શહેરો એવા છે જ્યાં જતા પહેલા વીચાર કરવો પડે આ ચાર શહેરોમાં સૌથી વધુ લોકો રોડ અકસ્માતના બનાવમાં મોત પામે છે…
ગુજરાતના મુખ્ય ચાર શહેરોમાં રોડ અકસ્માતથી મૃત્યુઆંક 18 હજારને પાર થયો છે. અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં 18287 લોકોએ અકસ્માતે જીવ ગુમાવ્યા છે.ત્રણ વર્ષમાં સૌથી વધુ સુરતમાં 6760 લોકોએ અકસ્માતે જીવ ગુમાવ્યા છે. જ્યારે અમદાવાદમાં છેલ્લા ત્રણ વર્ષમાં અકસ્માતના બનાવોમાં 5495 લોકોએ જીવ ગુમાવ્યા છે. રાજકોટમાં 3934 લોકોએ અને વડોદરામાં 2098 લોકોએ ત્રણ વર્ષમાં જીવ ગુમાવ્યા છે. આવા અકસ્માતના બનાવોના સમયે લોકો કહેતા હોય છે કે અમારા ઘરનો દીવો ઓલવી નાખ્યો, આ પાપીને ફાંસી થવી જોઈએ! દીકરો પોક મૂકી રડી પડ્યો!…ગત વર્ષે ગુજરાતના નેશનલ હાઇવે પર ઓવરસ્પીડથી 1991 લોકોએ જીવ ગુમાવ્યા છે. તેથી ગુજરાત રોડ સેફ્ટી એક્ટ 2018 ના નિયમોનું પાલન કરાવવા પાર્થિવરાજસિંહે માંગ કરી છે. તેમણે જણાવ્યું છે કે, ઓવર સ્પીડના કારણે ગુજરાતમાં લોકો જીવ ગુમાવી રહ્યા છે. રોડ સેફટીમાં માત્ર પ્રાયમરી નહીં, પરંતુ હાયર એજ્યુકેશનને પણ સમાવવામાં આવે.
ગુજરાતમાં ખાડા અને અચાનક બમ્પના કારણે અકસ્માત થતા હોવાનો ખુલાસો થયો છે. દરેક રોડ પર સ્પીડ નિયંત્રણના નિયમો છે પરંતુ પાલન કરાવવામાં આવતું નથી. ઓવર સ્પીડ માટે દંડ વસૂલવાનું સરકાર શરૂ કરે. સ્પીડ કેમેરા અને પોઈન્ટ ટુ પોઈન્ટ કેમેરા લગાવવા પણ માંગ કરી છે., રાજ્ય સરકાર રોડ સેફ્ટીની વાતો કરતી હોય છે. પરંતું ગુજરાત રાજ્યના નેશનલ હાઇવે પર ઓવર સ્પીડીગના લીધે 2022માં 1600 થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા હતા. આટલી મોટી સંખ્યામાં લોકો મોતને ભેટી રહ્યાં છે તો પણ સરકાર કોઈ કડક પગલાં લેવાનું વિચારી નથી રહી. તે દુઃખની બાબત છે ગુજરાત રોડ સેફ્ટીમાં ફક્ત પ્રાયમરી વિભાગને જોડવામાં આવે છે. 18 વર્ષના લોકો લાયસન્સ મેળવે તે લોકોમાં જાગૃતિ આવે તેવા અભિયાન સરકારે ચલાવવા જોઈએ. કોંગ્રેસ પક્ષ માંગણી કરે છે કે રોડ સેફ્ટી એક્ટની જોગવાઈ મુજબ કામ કરવાની જરૂરિયાત છે. રાજ્યમા રોડ અકસ્માતના બનાવો વધી રહ્યા છે સાથે જ આવા બનાવોમાં માનવીઓના થતા મોતની સંખ્યામાં પણ ઍક ધારો વધારો થઈ રહ્યો છે.