Published by : Anu Shukla
સુરત શહેરના હજીરા વિસ્તારમાં 13 વર્ષની કિશોરીને દફનાવા જતા પોલીસે અટકાવ્યા છે. પરિવાર દ્વારા કિશોરીને પોસ્ટમોર્ટમ કરાવ્યા વગર જ દફનાવા જતા હતા. પોલીસની નજર જતા સમગ્ર મામલો બહાર આવ્યો હતો. આ 13 વર્ષની કિશોરીએ ગળે ફાસો ખાઈ આપઘાત કર્યો હતો. જોકે પરિવારે કિશોરીને નીચે ઉતારી કોઈ હોસ્પિટલ કે હેલ્થ સેંટર પર પણ લઇ ગયા ન હતા. પરિવારને આ મામલે કઈ સમજ ન પડતા કિશોરીને લઇ દફનાવા જતા હતા. જોકે લોકોનું ટોળું જોઈ પોલીસ ત્યાં આવી પહોચી હતી અને પોલીસ ત્યાં સમગ્ર ઘટના જોતા જ ચોકી ગઈ હતી. ત્યાંજ પોલીસે પરિવારની પૂછપરછ કરતા સમગ્ર ઘટના સામે આવતા પોલીસે બોડી કબ્જે લઇ પોસ્ટમોર્ટમની કાર્યવાહી હાથ ધરી છે.
માહિતી અનુસાર 13 વર્ષીય કિશોરી જેનું નામ સારુ દેવી છે. જેઓ હજીરા વિસ્તારમાં રહે છે. ગઈકાલે તેને કોઈ કારણોસર પોતાના ઘરમાં જ ગળે ફાસો ખાઈ આપઘાત કર્યો હતો. જોકે ઘટનાની જાણ પરિવારને થતા જ પરિવાર દોડી આવ્યું હતું અને પરિવારને આ મામલે કઈ જ ખબર ન પડતા તેમણે સારુને નીચે ઉતારી પોતાના ગામના રિવાજ મુજબ તેનું અંતિમ સંસ્કાર કરી તેને દફનાવવા લઇ જતા હતા અને ત્યાંજ હજીરા પોલીસ પેટ્રોલિંગમાં હતી. ટોળું જોઈ પોલીસ ત્યાં પહોચી હતી અને સમગ્ર મામલો બહાર આવ્યો હતો.
આ બાબતે મૃતક સારુના પિતા ચંદન કેવડએ જણાવ્યુંકે, મને ગઈકાઈ બપોરના સમય દરમિયાન મારાં પાડોશીનો ફોન આવ્યો કે આ રીતે બન્યું છે. એટલે હું તરત નોકરી છોડી ઘરે પહોંચ્યો હતો. ત્યાં જોયું તો સારુ પતરા પર લોખંડના સળિયા ઉપર ફાસો ખાધેલી જોવા મળી હતી. એટલે અમે પોતે જ બધા સાથે મળીને નીચે ઊતારી જોયું તો તેનું મૃત્યુ થઇ જ ગયું હતું.
વધુમાં જણાવ્યું કે, મૃત્યુ થઈ જ ગયું છે તો તેને હોસ્પિટલ લઇ જવાનો કોઈ ફાયદો નથી. એટલે અમને એમાં કઈ સમજ પડતી ન હતી અને નાની હતી એટલે અમે વિચાર્યું કે દફનાવી દઇએ એટલે અમે બધા પરિવાર અને આજુબાજુના લોકો નજીક જ દરિયાકિનારે પહોંચ્યા અને પોલીસ આવી ગઈ હતી. તેમણે અમને પૂછ્યું તો અમે બધું કીધું આ રીતનું છે. અમે મૂળ બિહારના લખીસરાયમાં આવેલ ગાંગટા ગામના છે. અમારા પરિવારમાં પાંચ સંતાનો છે. 4 છોકરી અને 1 છોકરો એમાં સારુ દેવી 2 નંબરની દીકરી હતી. હું અને મારી પત્ની છૂટકકામ કરીને પરિવારનું ગુજરાન ચલાવીયે છીએ.
ઇનપુટ : જયેંન્દ્ર પાંડે