Published By : Patel shital
ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર દ્વારા લેવાયેલ પ્રાથમિક શિષ્યવૃત્તિ પરીક્ષામાં ઉચ્ચ ગુણ મેળવી ભરૂચ જિલ્લાનું નામ રોશન કર્યું.
ભરૂચની પ્રાથમિક શાળા નર્મદા વિદ્યાભવન્સ જી.એન.એફ.સી. નર્મદાનગરમાં ધોરણ ૬ માં અભ્યાસ કરતી આન્વી બ્રિજેશભાઈ ગાંધી વર્ષ-૨૦૨૨ માં ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર દ્વારા લેવાયેલ પ્રાથમિક શિષ્યવૃત્તિ પરીક્ષામાં 187/200 જેવા શ્રેષ્ઠ ગુણ હાંસલ કરી મેરીટમાં સ્થાન મેળવી ગુજરાત રાજ્યમાં સાતમાં માં ક્રમે અને ભરૂચ જિલ્લામાં પ્રથમ ક્રમે સ્થાન મેળવ્યું છે. તેઓની આ સિદ્ધિએ તેમના માતા ફાલ્ગુની ગાંધી અને પિતા બ્રિજેશભાઈ ગાંધી તેમજ શાળાનું નામ રોશન કરી ભરૂચ જિલ્લાનું ગૌરવ વધાર્યું છે.